SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ નિષ્ણુયક-સંપુણ્યક, ત્યારપછી' મૂળ કથાપ્રસંગમાં આગળ હકીકત કહેવામાં આવી હતી તે દયાનમાં હશે. તેને આશય એ હતો કે સદબુદ્ધિને ઉપર પ્રમાણે જવાબ સાંભળી આ પ્રાણું જરા ગભરાટમાં પડી ગયો. એક દિવસ ત્યારપછી એમ બન્યું કે મહાકલ્યાણક બેજન ખુબ સારી રીતિ ખાધા પછી લીલા માત્રથી તેને ખરાબ ભોજન જરા લીધું. તે વખતે સુંદર ભોજન ખાવાથી તે ધરાઈ ગયેલ હોવાને લીધે અને સદ્બુદ્ધિ તેની પાસે હોવાને લીધે સુંદર ભજનના ગુણે તેના મન ઉપર બહુ અસર કરવા લાગ્યા તેથી પેલા ખરાબ ભેજનનું તુચ્છપણું, વિરસેપણું અને નિંદનીકપણે તેની નજર આગળ ખડું થયું. એ વિચારને પરિણામે તેને પોતાના તુચ્છ ભજન ઉપર બહુ કંટાળો આવ્યો, અને તેથી એને ગમે તે પ્રકારે હવે જરૂર ત્યાગ કરવો એવો તેણે પિતાના મનમાં નિશ્ચય કર્યો. આ પ્રમાણે પિતાના મનમાં નિશ્ચય કરીને તેણે બુદ્ધિને આદેશ કર્યો કે “આ મારું ભજન ભરવાનું વાસણ લે અને તેમાંથી ખરાબ ભજન ફેકી દઈને તેને જોઈને સાફ કરી આપ.' સુબુદ્ધિએ તેને જવાબમાં કહ્યું “આ બાબતમાં તારે ધર્મબોધકરને પૂછવું વધારે સારું છે. સારી રીતે વિચાર કરીને કરેલાં કામમાં પાછળથી ફેરફાર કરવો પડતો નથી.” ત્યારપછી નિપુણ્યક અને સદ્બુદ્ધિ બન્ને સાથે ધર્મબોધકર પાસે ગયાં અને ત્યાં જઈને નિપુણ્યકે ધર્મબંધકર સમક્ષ પિતાને સર્વ વિચાર જણવ્યો. ધર્મબેકરે આ પ્રાણીને બરાબર કસી લેવા માટે પ્રથમ તેને ખૂબ વિચાર કરવા માટે ભલામણ કરી અને જ્યારે સર્વસંગત્યાગ કરવાને તેને દઢ નિશ્ચય જો ત્યારે પછી તેમણે એ નિપુણ્યકની પાસેથી ખરાબ ભેજનનો ત્યાગ કરાવ્યું, વિમળ (પવિત્ર-શુદ્ધ) જળથી તેના વાસણને સાફ કર્યું અને તેમાં સુંદર ભજન સારી રીતે ભર્યું. આ પ્રમાણે જે દિવસે ધર્મબોધકરે કર્યું તે દિવસે મેટે મહોત્સવ થશે અને લેકે માં અત્યાર સુધી જેનું નામ નિપુણ્યક હતું તે હવે સંપુણ્યકના નામથી ઓળખાવા લાગ્યો-આવી મતલબની વાત અગાઉ કરી હતી. આવી જ હકીકત ગૃહસ્થઅવસ્થામાં વર્તતા આગળ વધવાની હોંશ રાખતા પણ વિભાવિક ભાવથી પાછા ખેંચાતા દેલાયમાન બુદ્ધિવાળા જીવોના સંબંધમાં ઘણું વાર બને છે તે આપણે હવે વિચારીએ. ૧ જુઓ મૂળ કથા માટે અગાઉનું પણ ૪૩. અહીં તેને ભાવાર્થ આપવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy