SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] મહને વશ પડેલાના વિચારે. “દોડતાં દોડતાં તેમાંથી તેલનું એક પણ ટીપું બહાર નહિ પડવા દેવા “જેવું છે, જમણ અને ડાબાં ફરતાં આઠ ચકરોના વચલા ભાગથી પસાર થનાર બાવડે તે આઠે ચકની ઉપર રહેલી પુતળીની ડાબી આંખમાં બાણ મારવા જેવું છે અર્થાત્ રાધાવેધ સાધવા જેવું છે, પગ ક્યાં પડે છે તેની દરકાર કર્યા વગર તીક્ષ્ણ તરવારની ધાર પર ચાલવા જેવું છે, કારણ કે અહીં પરિષદો સહન કરવા પડે છે, “દેવતાઓ વિગેરેની તરફથી ગમે તે પ્રકારના ઉપસર્ગો થાય તેની સામું થવું પડે છે, સર્વ પ્રકારનાં પાપના સંબંધથી નિવૃત્તિ કરવી પડે છે, ચાવજીવ (જીવે ત્યાં સુધી) મેરૂ પર્વત જેટલો ભારે શીલનો “ભાર વહન કરવો પડે છે, નિરંતર પોતાના આત્માને માધુકરીર વૃત્તિથી વહન કરવો પડે છે, તેમાં શરીરને ભારે તપથી તપાવવું “જોઇએ, સંયમને આત્મભાવમાં લઈ આવવો જોઈએ, રાગ વિગેરે “ભાવશત્રુઓને મૂળથી ઉખેડી નાખવા જોઈએ અને અંતરમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારના પ્રસારનો રેપ કરવો જોઈએ. વળી વિશેષ “શું કહેવું? કોઈ પણ પ્રકારનો પ્રમાદ કર્યા વગર મહામોહરૂપ વૈતાળનો નાશ કરવો જોઈએ. આવી રીતે દીક્ષા લેવી અને પાળવી એ તો બહુ ભારે કામ છે અને મારા શરીરનું તો અત્યાર સુધી કેમળ શય્યાવધારે વડે, સારાં સારાં ભેજનવડે લાલન પાલન કર્યું છે બહાનાં. અને મારા મનના સંસ્કાર પણ એવા જ પ્રકારના છે, તેથી દીક્ષાનો આ ટે ભાર ઉપાડવાની હજુ મારામાં શક્તિ આવી નથી. સાથે એ વાત પણ બરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યાં સુધી સર્વ પ્રકારના મનના અને અંતરના ગોટાળા દૂર કરીને ભગવાનની દીક્ષા લેવામાં ન આવે ત્યાંસુધી સંપૂર્ણ શાંતિસામ્રાજ્ય પ્રાપ્ત કરાવનાર અને સર્વ કલેશનો છેડે આણનાર મોક્ષ પણ પ્રાપ્ત ન થાય. આમ છે તેથી મારે હવે શું કરવું તેની કોઈ ખબર પડતી નથી.” પિતાને શું કરવું ગ્ય છે તે બાબતનો નિર્ણય નહિ કરી શકવાને લીધે સંદેહરૂપ હીંડોળા પર ચઢેલે આ પ્રાણી કેટલોક વખત આવા આવા વિચાર કરવામાં કાઢી નાખે છે. ૧ જુઓ અધ્યાત્મક૯૫ઠુમ પૃષ્ઠ ૩૯૪-૫ (પ્રથમાવૃત્તિ). ૨ સાધુ આહાર લેવા જાય તેને માધુકરી વૃત્તિ કહે છે. મધમાખ જેમ કુલ પર બેસી ફુલને પીડા ઉપજાવ્યા વગર તેમાંથી રસ ચૂસે તેમ સાધુ કોઈને બજારૂપ થયા વગર અન્ય પાસેથી આહાર ગ્રહણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy