SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ છે પરદેશ ગયો છે અથવા તે બિચારી વિધવા છે, તેથી મારે તેનું ભરણપોષણ કરવું જોઈએ. વળી આ મારો ભાઈ ઘરનો બોજો ઉપાડવાને શક્તિવાન્ થ નથી, આ મારાં મા બાપ ઘડપણથી અર્ધા ખોખરાં થઈ ગયેલાં છે અને મારા ઉપર તેઓને ઘણોજ સ્રહ છે; મારા ઉપર અત્યંત પ્રેમ રાખનારી આ મારી સ્ત્રી અત્યારે ગર્ભવતી છે અને મારા વગર એક ક્ષણ પણ જીવી ન શકે તેવી છે. આવા વિસંસ્થળ કુટુંબનો હું કેવી રીતે ત્યાગ કરું? મારી પાસે મોટો ધનને સમૂહ છે, ઘણા માણસો પાસે મારું મોટી રકમનું લેણું છે તે ઉઘરાણી મારા વગર કેણ લાવે ? અને તે ઉઘરાણું મારા વગર તફડકે થઈ જાય; અને મારું કુટુંબ અને ભાઈઓ સારી રીતે ભક્તિ કરનારા અને મોટી સં ખ્યામાં છે તે સર્વનું મારે ભરણપોષણ કરવું જોઈએ તેથી લેકેની પાસેથી ઉઘરાણી વસુલ કરીને અને તે રોકડ નાણું મારા કુટુંબીઓને અને ભાઈઓને યોગ્ય રીતે વહેંચી દઈને પછી તેમાંથી કેટલાક દ્રવ્યને ધર્મની બાબતમાં સખાવત દ્વારા ખરચ કરીને, પોતાની હોંશથી માતા પિતા પાસેથી રજા મેળવીને અને મારા ગૃહસ્થ તરીકેનાં સર્વે કાર્યો પૂર્ણ કરીને પછી દીક્ષા લઇશ. ઉઘરાણી વસુલ થઈ નથી, કુટુંબની વ્યવસ્થા હજુ કરી નથી તેથી આ દીક્ષાનો વખત ન હોવાથી આ દીક્ષાના વિચારથી અત્યારે શું ? વળી દીક્ષા લેવી અને પાળવી એ તે સાક્ષાત્ હાથવડે મોટા “સ્વયંભૂરમણ સમુદ્રને તરવા જેવું છે, ગંગાના કાયરનાં “પૂર જોરથી ચાલતા પ્રવાહની સામે તરવા જેવું છે, બહાનાં “લેઢાના ચણા ચાવવા જેવું છે, લેઢાના લાડુ ભક્ષણ કરવા જેવું છે, છિદ્રવાળી (મોકળી) કામળને “સૂક્ષ્મ પવનથી ભરવા જેવું છે, મેરૂ પર્વતને પોતાના માથાથી ભેદી “નાખવાના પ્રયત્ન જેવું છે, સમુદ્રનું ડાભના અગ્ર ભાગથી માપ લેવા જેવું છે, તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને હાથમાં લઈને સો યોજન ૧ અસ્તચરત સ્થિતિમાં, ઢંગધડા વગરના, પોતાની મેળે વ્યવસ્થા ન ચલાવી શકે તેવા. ૨ આ આખું વાક્ય નિર્બળ–સંસારરસિક અથવા બહાનાં કાઢનારના દષ્ટિબિન્દુથી બેલાયેલું છે તે ધ્યાનમાં રાખવું. ૩ સર્વથી માટે દરિયો. તેનું પ્રમાણ બહુ મોટું છે અને તે સર્વથી છેલ્લો આવેલો છે. ૪ અથવા ગધેડા ઉપર નાખવાની ગુણો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy