SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] વિચારણું છતાં મેહનું રે. તે પિતાના આત્માને ઉલટો વિડંબના કરે. આ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરીને વિષયાદિ પર આસક્તિ થાય અને મન લુપી રહે તેના કરતાં તે દીક્ષા પહેલેથી ન ગ્રહણ કરવી તે વધારે સારું, કારણ કે તીવ્ર અભિલાષા વગર વિષય વિગેરે સેવતો ગૃહસ્થ (શ્રાવક) પણ જ્ઞાન દર્શન ચારિત્રમાં આચરણ કરવારૂપ દ્રવ્ય સ્તવનો આશ્રય કરીને કમેરૂપ અજીર્ણને નાશ કરતો જાય છે અને તેથી રાગાદિ ભાવગને ઓછા કરીને કમેને હલકાં કરી નાખે છે. આવી ભાવગની ઓછાશ પણ અનાદિ કાળથી સંસારમાં રખડતાં આ જીવને અગાઉ કદિ પ્રાપ્ત થઈ હોતી નથી અને તેવી ઓછાશ પ્રાપ્ત થવી એ પણ ઘણી મુશ્કેલ બાબત છે. આ પ્રમાણે હોવાથી દીક્ષા લઇને પણ ત્યારપછી જે વિષયની અભિલાષા થાય તો પછી જે બાબતની પ્રતિજ્ઞા લીધી હોય તે નહિ કરવાથી મનમાં ઘણોજ આકરે કલેશ થાય છે અને તેથી મનમાં વધારે વધારે રાગ વિગેરે વ્યાધિઓ વૃદ્ધિ પામતા જાય છે. પરિણામે જે ભાવરોગોની એાછાશ તેને ગૃહસ્થાવસ્થામાં (દેશવિરતિને અંગે ) પ્રાપ્ત થઇ શકી હતી તેટલી પણ તે મેળવી શકતો નથી. જે વખતે પ્રાણી ઉપર પ્રમાણે નરમ નરમ વિચાર કરે છે તે વખતે સર્વસંગનો ત્યાગ કરવાની બુદ્ધિને ચારિત્ર ચારિત્ર મોહ- મેહનીય કર્મના અંશે વારંવાર હચમચાવ્યા કરતા નયને ઉદય. હોય છે તેથી એને અત્યારે જે બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય છે તે પાછી ડોળાઈ જાય છે ત્યારપછી ત્યાગબુદ્ધિ ડેળાવાને લીધે તેના વીર્યની હાનિ થાય છે અને તેથી નીચે જણાવ્યાં છે તેવાં અને તેને મળતાં ખોટાં ન્હાનાઓનો તે આશ્રય લે છે. તે ચારિત્ર મેહનીયને લીધે વિચાર કરે છે અથવા જણાવે છે કે “જો હું દીક્ષા લઉં તો આ મારા મેઢા સામું જોઈને જીવનાર મારા કુટુંબનું શું થાય ? મારા વિરહથી આખું કુટુંબ સીદાય અને જરૂર જીવેજ નહિ. ત્યારે અવસર વગર અત્યારે મારા નિરાધાર કુટુંબને કેવી રીતે છોડી દઉં? આ મારા છોકરામાં હજુ કઈ પ્રકારની તાકાત આવી નથી, આ મારી છોકરીને હજુ પરણાવી નથી, મારી બહેનને પતિ ૧ હેરાનગતી, ત્રાસ. ૨ વ્યવહારથી આચરણ કરવી તે. ક કષાય મેહનીય અને નેકષાય મોહનીય કામ પ્રાણીને ચારિત્ર આવવા દેતા નથી, તેવા પ્રકારનાં કર્મોને ચારિત્રમેહનીય કર્મ કહેવામાં આવે છે. ૪ હેરાન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy