SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ બરાબર વિચાર કરીને કરજે, કારણ કે તન્યા પછી તેના ઉપરના પૂર્વ પ્રેમને લઈને અગાઉના જેવી આકુળ વ્યાકુળતા તને થવી ન જોઈએ. એક વાર એનો ત્યાગ કર્યા પછી ફરી વાર તેના ઉપર એહ થઈ આવે તેના કરતાં તો ત્યાગ ન કરવો એજ વધારે ઠીક ગણાય, કારણ કે એ તુચ્છ ભજન ઉપર સ્નેહ રાખવાથી વ્યાધિઓ બહુ વધી જાય છે. ખરાબ ભોજન થોડું થોડું કરવાથી અને ત્રણે ઔષધોને વધારે વધારે ઉપયોગ કરવાથી તારા વ્યાધિઓ નરમ પડેલા છે અને તને શાંતિ થયેલી છે તેટલું થવું પણ અત્યંત દુર્લભ છે. એક વાર સર્વથા ત્યાગ કર્યા પછી તેવા તુછ ભજનની ઈછા કરનાર મહામહના પ્રતાપથી વ્યાધિઓની લાઘવતા (ઓછાશ) પણ જલદી મેળવી શકતા નથી. આ બાબતને સારી રીતે વિચાર કરીને મનમાં જે ખરેખર ત્યાગ કરવા યોગ્ય ભાસે તોજ ઉત્તમ મનુષ્યોએ તેને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે.” બુદ્ધિનો આવો જવાબ સાંભળીને તેનું મન જરા ગભરાટમાં પડી ગયું તેથી પોતે શું કરવું તેને બરાબર નિશ્ચય તે કરી શક્યો નહિ.” આ પ્રાણીના સંબંધમાં પણ એવી જ હકીકત બને છે તે આપણે વિચારીએ. ગૃહસ્થઅવસ્થામાં વર્તતા આ પ્રાણુને જ્યારે સાંસારિક પદાર્થો પરની લાલસા તૂટી જાય છે અને જ્ઞાન દર્શન ચારિસર્વસંગત્યાગ માટે ત્રની આચરણું કરવા પર અત્યંત પ્રેમ થાય છે ત્યારે કરેલ પર્યાલોચના. ખરેખરું સુખ શું છે અને ક્યાં છે તે તેના જાણવામાં આવે છે. પછી તેને પરમ શાંતિનું–પ્રશમનું સુખ અવિચ્છિન્નપણે પ્રાપ્ત થાય એટલે એક વાર તે સુખ થયા પછી નિરંતર બન્યું ને બન્યું રહે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય તેની ઇચ્છા તેના મનમાં જાગ્રત થાય છે અને તેને પરિણામે તેના મનમાં સર્વ પરભાવનો ત્યાગ કરવાની બુદ્ધિ થઈ આવે છે. તે વખતે તે પિતાની સદુબુદ્ધિ સાથે પિતે સર્વસંગનો ત્યાગ કરવાને સમર્થ છે કે નહિ તે સંબંધમાં લંબાણ પર્યાલચના (વિચાર) કરે છે. બુદ્ધિપૂર્વક વિચાર કરવાથી એને માલૂમ પડે છે કે અનાદિ સંસારમાં દીર્ઘ અભ્યાસથી આ પ્રાણું વિષય ઉપર રસપૂર્વક ગૃદ્ધિ રાખ્યા કરે છે અને તે રસ જાણે પિતાને હોય તેમ માનીને વિષયો સાથે કામ લે છે. આ પ્રમાણે હેવાથી સર્વ પ્રકારના દોષોથી નિવૃત્તિરૂપ ભગવાને બતાવેલી દીક્ષા અંગીકાર કરીને વળી પાછો અનાદિ કાળથી કમએ કરેલી પોતાની વિભાવસ્થિતિમાં જે ચાલ્યો જાય અને પૂર્વ પ્રકૃતિને અનુસરવા લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy