SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] મહા લાભ સમજી સર્વસંગત્યાગ વિચારણા. ૧૯૫ પણ તે વખતે હું નજીકમાં હોવાથી તેને તે બાબતમાં શરમ બહુ આવે છે. એ ખરાબ ભેજનનો ઉપયોગ જ્યારે શરમ સાથે કરવામાં આવે છે ત્યારે તેની અસર નહિ જેવી થઈ જાય છે અને તે ઉપરાંત તેના ઉપર તિરસ્કાર હોવાથી–ગૃદ્ધિ નહિ હોવાથી વારંવાર તે ખાવાની ઇચછા પણ થયા કરતી નથી. આવા પ્રકારની વૃત્તિ થઈ ગયા પછી તેવું ખરાબ ભજન કદાચ હું ખાઈ લીધું હોય તો તેથી શરીરે વ્યાધિઓને વધારનાર તે થઈ જતું નથી. તારા મનમાં આનંદ અને સુખ થાય છે તે આ કારણથી થયેલ છે.” ?? આવી રીતે પોતાના મનમાં અને શરીરમાં પ્રમોદ થતો હતો તેનું કારણ બુદ્ધિ સાથે પ્રાણુએ વિચાર્યું અને તેના જવાબમાં સદ્દબુદ્ધિએ કદન્ન પર લેલુપતાને કરેલ ત્યાગ અને ત્રણે આષધોનું કરેલું સેવન કારણ તરીકે બતાવ્યું અને તેમ કરવાની યુક્તિનું પણ પ્રતિપાદન કર્યું તે પ્રમાણે આ પ્રાણીના સંબંધમાં પણ બને છે. સબુદ્ધિની સાથે વિચાર કરવાથી આ પ્રાણીના ધ્યાનમાં આવે છે કે શરીરમાં અને મનમાં નિવૃત્તિરૂપ સુખ હાલમાં સદ્દબુદ્ધિથી પિતાને પ્રાપ્ત થયું છે તેનું કારણ વિષય વિગેરે પર પ્રશમ સુખ. વસ્તુ પર આસકિતનો ત્યાગ અને જ્ઞાન દશૈન ચારિત્ર તરફ આદર અને તેની આચરણું છે. પૂર્વ અભ્યાસથી કદાચ આ પ્રાણી વિષયાદિકમાં પ્રવૃત્તિ કરે છે તો પણ તેનામાં સબુદ્ધિ જાગ્રત થયેલ હોવાને લીધે તે વારંવાર એવો વિચાર કર્યા કરે છે કે તેના જેવાને તે પ્રમાણે કરવું કઈ પણ રીતે ઉચિત નથી. આવા વિચારને પરિણામે તેને વિષય ઉપર આસક્તિ થતી નથી, તેથી તેના પર તીવ્ર લાલસા થતી નથી અને તેને લઈને આ પ્રાણીને પ્રશમ સુખ પ્રાપ્ત થાય છે. સદ્ બુદ્ધિએ આવી રીતે આ પ્રાણીને યુતિપૂવૅક સમજાવ્યો એમ સમજવું. સર્વથા ત્યાગ, પ્રાપ્ત થયેલા સુખના રસમાં આનંદ પામી તેણે બુદ્ધિને જે કહ્યું તે હકીકત ત્યારપછી કથાપ્રસંગમાં કહેવામાં સર્વથા ત્યાગને આવી છે. “નિપુણ્યકે કહ્યું કે “જો એમ હોય તે અગે સાવચેતી. તે ખરાબ ભજનનો હું સર્વથા ત્યાગ કરી દઉં કે જેથી મને સુંદર સુખ સારી રીતે પ્રાપ્ત થાય.” સદ્બુદ્ધિએ જવાબમાં કહ્યું “વાત તે તદ્દન યેગ્ય છે, પરંતુ તેનો ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy