SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ વર્તતા હોય અને તેથી ઇંદ્રિયના વિષયાના ઉપભાગ કરતા હોય, ધન સ્ત્રી વિગેરે તે ગ્રહણ કરતા હોય તેપણુ તેની સાથે તેને એવા સંબંધ થતા નથી કે જેથી તે દિ તૃપ્ત ન થાય, મનમાં સંતાષ પામે નહિ અને નિરંતર વધારે મેળવવાની અભિલાષા કર્યાં કરે. વળી તેના મનમાં જ્ઞાન દર્શન ચારિત્ર ઉપર ઘણી પ્રીતિ હોવાને લીધે તેને ધનભાગના વિષયા જેટલા મળે તેટલામાં તેને સંતાષ રહે છે. વળી તે ઉપરાંત તે સદ્ગુદ્ધિના પ્રભાવથી જેટલે જ્ઞાન દર્શન ચારિત્ર મેળવવા માટે યન કરે છે તેટલા ય ધન અથવા ભાગના પદાર્થો મેળવવા માટે કરતા નથી. આને પરિણામે અગાઉ ન થયા હોય તેવા રાગ વિગેરે વ્યાધિ નવીન વધતા નથી અને અગાઉ જે થયા હોય તે આછા આછા થતા જાય છે. એ વખતે પણ પૂર્વે (અગાઉના વખતમાં) ઉપાર્જન કરેલાં કર્મનાં ફળ તરીકે જો કે કોઇ કોઇ વખતે શરીર અને મનની પીડા થઇ આવે છે તેાપણ તેના ઉપર આ પ્રાણીના તીવ્ર અનુબંધ થતે નહિ હાવાથી તે લાંબા વખત ટકતી નથી, ત્યારે પછી આ પ્રાણીને સંતેાષ અને અસંતષમાં ગુણ દોષના કેટલા તફાવત છે માલૂમ પડે છે અને ઉત્તરગુણાની પ્રાપ્તિને લીધે તેના મનમાં પ્રમાદ પણ બહુ થવા લાગે છે. તે ૧૯૪ પીડા: ગુણ અને પ્રમેાદ. સદ્ગુદ્ધિ સાથે વાતચીત, આગળ કથાપ્રસંગમાં વાત કરી તે આપણે હવે વિચારીએ. “ એક દિવસ એકાન્તમાં રહેલા તે ( નિપુણ્યક ) પોતાના મનમાં અત્યંત રાજી થઈને નિરાકુળપણે સમ્રુદ્ધિ સાથે વાત કરવા લાગ્યો ' ભદ્રે! મારા શરીરમાં આ શું બધું નવાઇ જેવું લાગે છે! તું જે તે ખરી, અત્યાર સુધી જે શરીર સર્વ દુઃખથી ભરપૂર હતું તેજ શરીર હવે સુખથી ભરપૂર થઇ ગયું છે!' સમુદ્ધિએ જવાબ આપ્યો “ ભાઈ ! સારી રીતે પથ્ય સેવવાથી અને તારા શરીરને નુકશાન કરનાર વસ્તુ ઉપરના રાગને દૂર કરવાથી એ સર્વ લાભ થયો છે. લાંબા વખતની ટેવથી ખરાબ ભાજન કદાચ કોઇ વાર તું લે છે ખરે, ૧ આસક્તિ, ચાલુ પ્રવાહ, બીજો અર્થ કરવા હાય તેા વાય આ પ્રમાણે વાંચવું: “તેનેા ચાલુ પ્રવાહ નહિ રહેતે હેાવાથી.” બન્ને અર્થ ઘટે છે. ૨ શ્રાવકના ૨૧ ગુણે વધારે ઊંચા આકારમાં અહીં પ્રાણી પ્રાપ્ત કરી આ ગળ પ્રગતિ કરતા જાય છે તે ઉત્તરગુણા પર સૂચવન જણાય છે. ૩ જીએ મૂળ કથા માટે અગાઉનું પૃષ્ઠ ૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy