SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] સુખદુઃખપ્રાપ્તિનું ગુઢ રહસ્ય. ૧૯૩ પ્રફુલ્લિત થયું અને તેથી તેણે ગુરુ મહારાજના વચન ઇચ્છા અને પ્રાપ્તિ અને સ્વીકાર્યું. ત્યારપછી ગુરુ મહારાજ આ પ્રાણીને ને પરસ્પર સંબંધ. સદુપદેશ આપે છે “ભદ્ર ! હું તને એક ખાસ ગુહ્ય “હકીકત કહું છું તે તારે બરાબર ધ્યાન રાખીને “ધારણ કરવી: જ્યાંસુધી આ પ્રાણી વિપરીત જ્ઞાનને લઈને દુઃખથી “ભરેલાં ધન વિષય વિગેરેમાં સુખને આરોપ કરે છે અને સુખથી “ભરેલાં વૈરાગ્ય તપ સંયમ વિગેરેમાં દુ:ખને આરોપ કરે છે ત્યાંસુધીજ એને દુઃખની સાથે સંબંધ થાય છે; જ્યારે એને જણાય છે કે ઇન્દ્રિયના વિષયોમાં અથવા વિષય સારૂ પ્રવૃત્તિ કરવી તેમાં “દુઃખ છે અને ધન વિગેરે પદાર્થોની આકાંક્ષા દૂર કરવી એજ સુખ છે ત્યારે એની સર્વ ઈચ્છાઓનો વિચ્છેદ થયેલ હોવાથી તેને કઈ પણ પ્રકારની આકુળતા વગર સ્વાભાવિક સુખ પ્રગટ થાય છે અને “નિરંતર તે આનંદમાં રહે છે. વળી તને એક બીજી પણ મુદાની “વાત કહું તે તારા હૃદયપટ પર આળેખી રાખજે. જેમ જેમ આ “પ્રાણ પૃહા (ઈચછા, પારકી આશા) વગરનો થતો જાય છે તેમ “તેમ તેનામાં પાત્રતા આવતી જતી હોવાથી તેને સર્વે સંપત્તિઓ મળતી જાય છે અને જેમ જેમ એ સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો-અભિલાષાવાળો થતો જાય છે તેમ તેમ તેની અયોગ્યતા વિચારીને સંપત્તિઓ તેનાથી વધારે ને વધારે દૂર નાસતી ફરે છે. “આ પ્રમાણેનો તારા મનમાં નિશ્ચય કરીને તારે સાંસારિક પદાર્થો મેળવવાને માટે કે ભગવાને માટે અભિલાષા કરવી નહિ. જે તું એ પ્રમાણે કરીશ તો સ્વાવસ્થામાં પણ તને મનની કે શરીરની પીડાની ગંધ પણ આવશે નહિ એટલે જાગ્રતાવસ્થામાં તો શું પણ સ્વમામાં પણ તને કઈ પ્રકારની માનસિક કે શારીરિક પીડા થશે “નહિ.” ગુરુ મહારાજ આ પ્રમાણે પ્રાણુને ઉપદેશ આપે છે તેને અમૃતની જેમ આ પ્રાણું ગ્રહણ કરે છે. આ પ્રાણીને સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એમ ધારીને ગુરુ મહારાજ પોતાના મનમાં નિશ્ચય કરે છે કે હવે પછી એ પ્રાણુ ઉલટા માર્ગે કદિ પણ જશે નહિ. આવા વિચારથી ગુરુ મહારાજ એ પ્રાણીના સંબંધમાં નિશ્ચિત્ત થયા. આ પ્રાણીને સદબુદ્ધિ પ્રાપ્ત થયા પછી તે શ્રાવક અવસ્થામાં - ૧ સાંભળનારને લાભ કરે તેવી, ઘણું ન જાણે તેવી ખાનગી હકીકત. અન્યથી નહિ સમજાયેલું ગુપ્ત રહસ્ય. ૨ ચિન્તા રહિત, ફકર વગરના. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy