SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ << <. “ સારી રીતે પરિણમી શકતી નથી. એનું કારણ એ છે કે પુણ્યશાળી • પ્રાણીઓ હાય છે તેનેજ તેના ઉપર આદર થાય છે, બીજા પ્રાણીઓને “ તેના ઉપર જોઇએ તેવા આદરજ થતા નથી. શરીર ધારણ કરનાર પ્રાણીઓને જેટલાં કષ્ટ થાય છે-જેટલા અનર્થ થાય છે એ સર્વ સદ્બુદ્ધિ નહિ હેાવાને લીધે થાય છે અને આ સંસારમાં જેટલાં કલ્યાણ • છે-જેટલાં સુખા છે તે સર્વના આધાર સત્બુદ્ધિ ઉપરજ છે, જે મહાત્મા સદ્ગુદ્ધિના સંબંધમાં પ્રયત્ન કરે છે, તેને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે અને તેના સંબંધમાં નિર્ણય કરવા યત્ન કરે છે તેઓજ સર્વજ્ઞ મહા“ રાજની ખરેખરી આરાધના કરે છે અને જેઓ તેમ કરતા નથી તે cr Co cr Co cc ' સર્વજ્ઞ મહારાજની આરાધના કરી શકતા નથી. હું તારી પાસે આટલી “ બધી વાત કરૂં છું, ઉપદેશ આપું છું અને યોગ્ય માર્ગે લઇ આવવા “ પ્રયત્ન કરૂં છું તે સર્વ પ્રયત્ન તને હરકોઇ પ્રકારે સત્બુદ્ધિ પ્રાપ્ત કરાવવા માટેજ છે. સદ્ગુદ્ધિ વગરના પ્રાણીઓને કદાચ વ્યવહારથી-ઉપર “ ઉપરથી જ્ઞાન પ્રાપ્ત થઇ જાય છે તેપણ તેમાં અને જ્ઞાન પ્રાપ્ત ન “ થાય તેમાં કાંઇ માટેા ફેર પડતા નથી, કારણુ કે એવા પ્રકારનું જ્ઞાન પેાતાનું કામ કરતું નથી અથવા આવી રીતે માત્ર વ્યવહારથી જેઓને જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પાતાનું સ્વકાર્ય ( મોક્ષ પ્રાપ્ત કરવાનું અથવા “ આત્મ કલ્યાણ કરવાનું કાર્ય ) કરી શકતા નથી અને પરિણામ વગરનું << સાન તે લગભગ નકામા જેવું છે. વધારે તે શું કહેવું ? પણ સદ્ '' te 66 દ 66 બુદ્ધિ વગરના મનુષ્યમાં અને પશુમાં કાંઇજ તફાવત નથી અને “ તેવા પ્રાણી જનાવરથી કોઇ પણ માબતમાં ચડતા હોય એમ લાગતું “ નથી, તેટલા માટે જો તારે સુખ મેળવવાની ઇચ્છા-હોંશ હાય અને “ જો તને દુ:ખથી ખરેખર ભય થયા હાય તે અમે આજે તને જે સત્બુદ્ધિ આપીએ છીએ તેને તું યત્ન કરીને જાળવી રાખજે અને તેના ઉપર પૂર્ણ આદરભાવ બતાવજે. તેના ઉપર જો તું આદર “ કરીશ અને તે સંબંધમાં જે બરાબર યત્ન કરીશ તે તેમ કરવાથી તે “ અમારૂં વચન આરાધ્યું, ભુવનના માલેક પરમાત્માને બહુ પ્રકારે માન “ આપ્યું, અમને સંતાષ પમાડ્યો, મેાક્ષ પહોંચાડનાર વાહનનો સ્વીકાર ( અંગીકાર ) કર્યાં, લાકસંજ્ઞાના ત્યાગ કર્યો, ધર્મઆચરણ કર્યું અને સંસારસમુદ્રથી આત્માને તારી દીધા એમ અમે ધારી લેશું અને એમ “તારે સમજી લેવું, ” 66 << ગુરુ મહારાજના આવા વચનામૃતના પ્રવાહથી તે પ્રાણીનું હૃદય ૧ પ્રાકૃત લેાકાની રૂચિને અનુસરીને કામ કરવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy