SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] આત્માવલંબી થવું. ૧૯૧ જાય છે અને એક મીનિટ પણ મને સુખ મળતું નથી. આ પ્રમાણે હોવાથી હે કૃપાનાથ ! આપ કોઈ એવું કરી આપે છે જેથી આપના કહેવા પ્રમાણે આચરણ કરવારૂપ બખતર પહેરીને અનરૂપ ભાલાંના સમૂહથી રક્ષણ કરાયેલે હું રહું.' જીવનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને ગુરુ મહારાજે તેને કહ્યું: ભદ્ર! બીજાના નિવારણ કરવાથી અને તેના પરના સ્વાયત્તતા- “વિશ્વાસથી અકાર્ય વર્જવાનું બની આવે છે તે તો નું મહત્ત્વ. “કઈ કઈ વખતજ બની શકે છે. આ પ્રમાણે અન્યના “ઉપદેશથી કઈ કઈ વાર અકાર્ય વર્જવાનું પરિણામ તને પોતાને અને બીજાને કેવું સારું આવે છે તે તે જોયું અને તેમ કરવાથી તેને કેટલે મોટો ફેર પડી જાય છે તે તેં અનુભવ્યું. અમારે તે અનેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાનો હોય છે, તેઓને ઉપદેશ “આપવાનો હોય છે અને તેઓને યોગ્ય રીતે સમજાવવાના હોય છે “તેથી તારી પાસે આ વખત રહીને દરેક બાબતમાં તેને નિવારણ કરવાનું અમારાથી બની શકે નહિ. આ પ્રમાણે હોવાથી જ્યાં સુધી તારી પોતાની સદ્દબુદ્ધિ જાગ્રત નહિ થાય ત્યાંસુધી જે આચરણોનું “અમે નિવારણ કરવાનો તને ઉપદેશ આપીએ છીએ તે આચરણ “ઉપર તારી આસક્તિ હોવાને લીધે તેનાથી થતી અનર્થપરંપરા રેકી શકાશે નહિ; તે અનર્થપરંપરા એ ને એ પ્રમાણે થયાંજ કરશે. તદુ“વિ હૈિ કસમનો કનૈવ નીવરાત્તિવાતિ. સદબુદ્ધિજ એક એવી વસ્તુ છે કે જે અન્ય તરફની પ્રેરણાની અપેક્ષા રાખ્યા વગર પોતાના પ્રયત્નથી–જાતપ્રેરણાથી જ જીવને અકાર્ય કરતાં “નિવારણ કરે છે અને અસરકારક રીતે નિવારણ કરી શકે છે, એના પ્રતાપથીજ પ્રાણુ અનર્થોથી બચી શકે છે. આ પ્રમાણે સાંભળીને જીવે કહ્યું “ભગવાન ! તે કદાચ મને મળવાની હશે તો તે પણ આપના પ્રસાદથી જ મળશે, સબુદ્ધિ- બીજી કઈ રીતે મળી શકવાની નથી.” ગુરુ મહાની મહત્તા. રાજે ઉત્તરમાં જણાવ્યું “વારૂ, તે હું તને બુદ્ધિ આપું છું. અમારા જેવાને તે તે (સદ્દબુદ્ધિ) વચન“નેજ તાબે રહે છે, પરંતુ તારે આ સંબંધમાં આટલું ધ્યાનમાં રાખવાનું છે કે સદબુદ્ધિ આપવામાં આવી હોય તો પણ જે પ્રાણીઓ પુણ્ય“શાળી હોય છે તેઓને જ તે સારી રીતે પરિણમે છે, બીજાઓને તે ૧ પરિણામ ઉપજાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy