SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ કત કથાપ્રસંગમાં કહેવામાં આવી હતી. આ પ્રાણીના સંબંધમાં પણ લગભગ એનેજ મળતી હકીકત બને છે તે આપણે હવે વિચારી જોઈએ. જેમ કઈ આંધળો માણસ દોડતાં દોડતાં ભીંત અથવા થાંભલા ' સાથે અફળાઈ જવાથી પીડા પામે અને તેને કેટલી ખુલ્લા દિલના પીડા થાય છે તે વાત જેમ તે બીજા માણસને કહી એ ક ર રો. સંભળાવે તેવી રીતે ગુરુ મહારાજે જે આચરણે કર વાની મના કરી હોય તેવાં આચરણ કરવાથી વિપત્તિઓ આવે છે તે જાણીને અને અનુભવીને ગુરુ મહારાજ ઉપર આ પ્રાણ વિશ્વાસ મૂકે છે અને માને છે કે ગુરુ મહારાજ જે વાત કહેતા હતા તે બરાબર હતી અને ત્યારપછી ગુરુ મહારાજ સમક્ષ એ વિપત્તિઓ અને કષ્ટ કેવી રીતે આવે છે અને તે વખતે પ્રાણીની શી સ્થિતિ થાય છે તે કહી સંભળાવે છે: “ભગવદ્ ! આપ સાહેબના સદુપદેશથી જ્યારે હું ચેરીથી કઈ પણ પદાર્થો લેતા નથી, રાજ્યવિરૂદ્ધ કઈ પણ કાર્ય કરતો નથી, વેશ્યા અથવા પારકી સ્ત્રી તરફ દષ્ટિ કરતો નથી અને એવું ધર્મવિરૂદ્ધ અથવા લેકવિરૂદ્ધ કઈ પણ આચરણ આપના ઉપદેશ પ્રમાણે કરતો નથી અને મહા આરંભ અને મહા પરિગ્રહમાં રીઝી જતો નથી ત્યારે લેકે મને સાધુ (સારા માણસો તરીકે ગણે છે, મારામાં વિશ્વાસ મૂકે છે અને મારાં વખાણ કરે છે. એ વખતે શરીરને મહેનત પડવાથી કદાચ કાંઈ થોડું થોડું દુઃખ થાય તે તે મને જણાતું નથી અને હૃદય તદ્દન સ્વસ્થ થઈ જાય છે. આવા પ્રકારનાં શુભ આચરણ કરનારને ધર્મ સારી ગતિ અપાવનાર થાય છે એટલે એવાં સુકૃત્યને પરિણામે પ્રાણી સંગતિમાં જાય છે એ વિચારથી મનમાં બહુ આનંદ થઈ આવે છે અને જ્યારે આપ સાહેબ તરફથી કોઈ પણ પ્રકારની નિવારણ થતી નથી અથવા આપના તર થી થયેલી નિવારણની દરકાર ન કરતાં ધન વિષય વિગેરે ઉપર અત્યંત આસક્તિ હોવાને લીધે ગુરુ મહારાજ કાંઈ જાણું જવાના નથી એમ ધારી લઈને પૈસા ઉપરની મૂછને લઈને હું ચેરીથી ધન ઉપાડવા માંડું છું, વિષયેલુપતાને લીધે વેશ્યા કે પરસ્ત્રીગમન કરું છું અને તેવું બીજું કાંઈ પણ ભગવાને નિવારણ કરેલું આચરણ કરું ત્યારે લોકો તરફથી નિંદા, રાજ્ય તરફથી શિક્ષા અને સર્વ ધનહરણ, શરીરનો ખેદ, મનનો તાપ અને બીજા અનેક પ્રકારના અનર્થો આ લેકમાં જ પ્રાપ્ત કરું છું. આવી રીતે વર્તનારાઓને દુર્ગતિરૂપ મહા ઊંડા ખાડામાં ફેંકી દેનાર પાપ થાય છે એવા વિચારથી મારું હૃદય બળી ૧ અટકાવવું તે, અમુક કાર્ય ન કરવાને ઉપદેશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy