SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] સબુદ્ધિ ૧૮૯ ચારિકા નીમ આપું. તું તારા આત્માને હિત શું કરવાથી થાય તે જાણતો નથી, પથ્ય ભોજન કરવાથી દૂર નાસતા ફરે છે અને તારું તુછ ભજન કરવામાં નિરંતર પ્રેમ રાખ્યા કરે છે તેથી મારે તારા સંબંધમાં શું કરવું?' નિપુણ્યક બે “આપ આવું કદિ હવે પછી બોલશો નહિ, આપનો હુકમ હું હવે કદિ પણ ઉલ્લંઘીશ નહિ, ફેરવીશ નહિ, આપની આજ્ઞા બરાબર માન્ય કરીશ.” ધર્મબોધકર ત્યારપછી વિચાર કરી બોલ્યા “એક સદબુદ્ધિ નામની મારી છોકરી છે તેને બીજું બહુ કામ નથી. મારે વિચાર તેને તારી પરિચારિકા બનાવવાને છે. તે મારી બાલિકા તારી પાસે નિરંતર રહેશે અને તને પથ્ય અને અપથ્ય શું છે તેનો વિચાર બતાવશે. આવી સારી દાસી હું તને આપું છું તેથી હવે તારે તારા મનમાં જરા પણ ગભરાવું નહિ, પરંતુ તે ઘણી જાણકાર હોવાથી તેનાથી ઉલટી રીતે ચાલનાર અને આદર વગરના પ્રાણી ઉપર તે જરા પણ ઉપકાર કરતી નથી, તેથી જો તને સુખ મેળવવાની ઇચ્છા હોય અને દુઃખથી તને ભય ઉત્પન્ન થયેલ હોય તે તે જે કહે તે પ્રમાણે તું દરરેજ કરજે......તદ્યાને અનેક જોએ કામ હોય છે પણ વચ્ચે વચ્ચે કઈ કઈ વાર તે તારી પાસે આવી જઈને તને જાગ્રત રાખી જશે. જો તારે સુખ પ્રાપ્ત કરવાની ઈચછા હોય તો બુદ્ધિને રાજી રાખવા માટે તારાથી બની શકે તેટલો પ્રયત્ન કર્યા કરજે...... મારા જેવા તે છેટા રહેનારા હોય છે, પણ આ સદ્દબુદ્ધિ તો દરરોજ આખો વખત તારી પાસે જ રહેશે, માટે તારાં પોતાનાં સુખ માટે તારે તેની આરાધના કરવી સવે રીતે ઉચિત છે.” નિપુણ્યકે આ બાબતમાં સંમતિ આપવાથી ધર્મબોધકરે સબુદ્ધિને તેની પરિચારિકા બનાવી...થડા દિવસ સબુદ્ધિ પ્રમકની પાસે રહી તેટલા વખતમાં તેના સંબંધમાં ઘણું ફેરફાર થઈ ગયા. તેના ઉપદેશથી કમકની અપથ્ય ભોજન ઉપર પ્રતિ હતી તે ઉડી ગઈ, આથી અગાઉ જેટલું તુચ્છ ભજન તે ખાતો નહિ. વળી હવે તે ત્રણે ઔષધો વધારે પ્રમાણમાં રાજી ખુશીથી ખાવા લાગ્યું. આ બન્ને કારણને લઈને તેને જે વ્યાધિઓ થયેલા હતા તે ઓછા થવા લાગ્યા અને રેગના વિકારે તે લગભગ નાશ પામી ગયા. એ દરિદ્રીને હેવે સુખને રસ કે છે તેને સ્વાદ આવવા લાગ્યો, તેનું ભયંકર રૂપ હતું તે દૂર થઈ ગયું અને તેનામાં શાંતિ આવી ગયેલી હોવાથી તેના મુખ ઉપર સંતોષ પણ બહુ દેખાવા લાગ્યું.” આ પ્રમાણેની મતલબની હકી ૧ આ સદ્દબુદ્ધિને Conscience કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy