SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ પરંતુ જેવી ગુરુ મહારાજની પ્રેરણું બંધ થાય છે અથવા ગુરુ મહારાજનો જોગ બનતો નથી કે તરતજ પિતાનું વાસ્તવિક કર્તવ્ય કરવામાં તે શિથિલ થઈ જાય છે અને પાછો આરંભ પરિગ્રહની ધમાલમાં પડી જાય છે. જે તે આરંભ પરિગ્રહની જંજાળમાં પડી જાય છે કે પાછા રાગ વિગેરે વ્યાધિઓ ઉછળી પડે છે અને તેને મનની અને શરીરની અનેક પ્રકારની પીડાઓ ઉત્પન્ન કરે છે. આવા પ્રકારની પ્રાણીની અવસ્થા થાય છે તે તેની વિહળતા છે એમ સમજવું. એટલે કથાપ્રસંગમાં એમ કહેવામાં આવ્યું હતું કે આ પ્રાણુને વિહળતા થાય છે તે તેને રાગ દ્વેષને લીધે થયેલ માનસિક અને શારીરિક વ્યથા તુલ્ય રસમજવી. એ ગુરુ મહારાજ જેવી રીતે વારંવાર પ્રેરણું કરીને આ જીવને શુદ્ધ માર્ગ પર લઈ આવે છે તેવી રીતે પ્રેરણું કરીને ઠેકાણે લાવવાના બીજા અનેક જીવો હોય છે. સર્વ પ્રાણુઓ ઉપર કૃપા કરવાની બાબતમાં તત્પર રહેલા તે ગુરુ મહારાજા તો કઈ કઈ વખત જે જીવના સંબંધમાં હાલ વાત ચાલે છે તેને પ્રેરણું કરી શકે છે, પણ બાકીના વખતમાં આ જીવ છૂટે રહેતો હોવાથી પોતાનું અહિત કરતે હોય તેનાથી તેને કઈ વારતું નથી. એને લઈને ત્યારપછી ઉપર કહ્યો તે અનર્થ ઉત્પન્ન થાય છે. તયા પાસે ન રહી શકે અને તેની ગેરહાજરીમાં પ્રાણી અપથ્ય ભોજન ખાવા મંડી જાય તેથી તેના રોગો વધી પડે અને વિકાર જણાવે તેની બરાબર આ સર્વ સમજવું. સદબુદ્ધિ ત્યારપછી મૂળ કથાપ્રસંગમાં એવી મતલબની હકીકત કહેવામાં આવી હતી કે આવી રીતે વ્યાધિથી પીડા પામતે ધર્મબોધકરે આ પ્રાણને જે ત્યારે તેવી પીડાનું કારણ તેણે તેને પૂછયું, એના જવાબમાં નિપુણ્યકે પોતાની સર્વ હકીકત જણાવી અને પછી કહ્યું સાહેબ ! આપની દીકરી તદ્દયા મારી પાસે દરોજ રહી શકતી નથી અને તેની ગેરહાજરીમાં મારા વ્યાધિઓ બહુ વધી જાય છે. તેટલા માટે પ્રભુ! આપ મારે માટે પ્રયાસ કરીને કાંઈ એવી ગોઠવણ કરે કે મને સ્વમામાં પણું જરાએ પીડા થાય નહિ. ” ધર્મબોધકર મંત્રીશ્વરે જવાબમાં જણાવ્યું “તયાને ઘણું કામ સોપેલાં હોવાથી તે તો આખો વખત કામમાં ને કામમાં વ્યાકુળ રહે છે, તેથી તેને અપથ્ય ભજન સેવતાં વારંવાર વારે તેવી કોઈ સ્ત્રી હોય તો તેને તારી પરિ ૧ જુઓ પૃષ્ઠ ૩૯ થી. આ હકીકત લંબાણ હેવાથી તેને સારજ અહીં આપ્યો છે. આખી હકીકત માટે ઉપરના પૃષ્ઠની પંક્તિ ૪ થી શરૂ થતી હકીકત વાંચ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy