SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] વ્યવસાયી ગુસ–બુદ્ધિની વિશિષ્ટતા. ૧૮૭ એ રતત્રયનું અનુષ્ઠાન કરતાં હોય છે તેના વિકારોનું નિવારણ થઈ શકે તે બસ છે; જેઓને એ રત્નત્રયી ઉપર મનમાં જરા પણ આદર નથી તેઓને રોકવાની અમારે કાંઈ જરૂર પણ નથી. જ્યારે તું અને મારા દેખતાંજ રાગાદિ ભાવગોથી પીડા પામે છે ત્યારે લેકે પણ અમને તારા ગુરુ જાણીને ઠપકે આપવા લાગે છે અને અમારી નિંદા પણ કરે છે” તદ્યાએ નિપુણ્યકને ઉપર કથાપ્રસંગમાં જે ઠપકે આપે હવે તેની બરાબર આ હકીકત સમજવી. ગુરુ મહારાજ તરફથી આ પ્રમાણે ઠપકો સાંભળીને આ પ્રાણી ગુરુ મહારાજને પ્રત્યુત્તર આપતાં કહે છે કે “અઇચ્છા, આસક્તિ નાદિ કાળથી અભ્યાસ પડી ગયેલ હોવાને લીધે અને ભાવના. તૃણું લોલુપતા વિગેરે ભાવો મને મુંઝવે છે. એ તૃષ્ણ-લેલુપતાને તાબે થઈને કરેલા આરંભ અને પરિગ્રહનું પરિણામ કેવું ખરાબ આવે છે તે જાણવા છતાં તેને હું છોડી શકતો નથી. આ પ્રમાણે હેવાથી આપ સાહેબે મારા સંબંધમાં ઉપેક્ષા ન કરવી, બેદરકારી ન બતાવવી, મને ખોટે રસ્તે પ્રવૃત્તિ કરતો જોઈને આપે સારું યોગ્ય નિવારણ કરવું, તેથી કદાચ એમ પણ બને કે હાલ હું દેષોનો થોડે થોડે ત્યાગ કરું તે આપ સાહેબની મહેરબાનીથી પરિણતિના ફેરફારને અંગે મારામાં સર્વ દોષને ત્યાગ કરવાની શક્તિ પણ આગળ જતાં આવે–તેવી શક્તિ હું પ્રાપ્ત કરું.” આ પ્રાણી ઉપર પ્રમાણે ગુરુ મહારાજને કહે છે તેની તે સર્વ વાત ગુરુ મહારાજ સ્વીકારી લે છે અને તે પ્રમાદ, તયાના કરતા હોય છે ત્યારે ગુરુ મહારાજ તેનું કઈ કઈ વ્યવસાય વાર નિવારણ પણ કરે છે. ગુરુ મહારાજ કહે છે તે પ્રમાણે કરવાથી અત્યાર સુધી પ્રાણુને અશુભ પ્રવૃત્તિ કરવાને લીધે જે પીડા થતી હતી તે ઉપશાંત થાય છે, જ્ઞાન દર્શન વિગેરે ગુણો વધારે વિકાસ પામે છે અને એને લઈને આ પ્રાણીમાં તયાનાં વચન પ્રમાણે અનુકરણ કરવાથી આરોગ્ય થવારૂપ થોડો થોડો ફેરફાર થયો એમ કહેવામાં આવ્યું હતું તેને બરાબર મળતું આવે છે. માત્ર હકીકત એ બને છે કે આ પ્રાણમાં વધારે જ્ઞાન અને દીર્ઘ દૃષ્ટિ ન હોવાને લીધે જ્યારે ગુરુ મહારાજ તેને પ્રેરણું કરે છે ત્યારે માત્ર તે પિતાનું ખરું હિત કરનારી બાબતમાં પ્રવૃત્તિ કરે છે, ૧ કઈ પણ સાંસારિક બાબતની શરૂઆત કરવી. જેમકે ઘર બાંધવું, મીલ થલાવવી વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy