SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૧ આ પ્રાણીના સંબંધમાં પણ એવીજ હકીકત લગભગ ખની આવે છે. એમાં ધ્યાનમાં રાખવા યોગ્ય હકીકત એ છે કે ગુરુ મહારાજને આ જીવ ઉપર દયા આવે છે તે મુખ્ય કાર્ય કરનારી છે તે વાત પર રૂપક કરીને પ્રધાનપણે તેને ‘કર્તા’ બતાવી છે. આશય એવા છે કે ગુરુ મહારાજ પોતેજ કર્તા છે, પરંતુ તેમની આ પ્રાણી ઉપરની દયા મુખ્ય ભાગ ઉપદેશને અંગે ભજવે છે તે હકીકતને સ્પષ્ટપણે સન્મુખ રાખવા માટે દયાને રૂપક આપી જાણે તે જૂદું પાત્ર હોય તેવી સંભાવના કરી છે. વાસ્તવિક રીતે તે આ સર્વ ઉપદેશ ગુરુ મહારાજ પેાતેજ આપે છે અને ઔષધ આપનાર અને માર્ગ બતાવનાર તેજ છે એ વાત ધ્યાનમાં રાખવી. ૧૮૬ તદ્યાની સંભાવના. આ '' ગુરુ મહારાજ જેમના ચિત્તમાં દયા ભરેલી છે તે આળસુ-પ્રમાદી જીવને ફરી વાર મળે છે ત્યારે તેને સાંસારિક અનેક ઉપાધિથી આકુળ વ્યાકુળ થતા જોઇ તેને ઠપકો આપતાં કહે છે “ હે ભાઇ ! જે પ્રાણીઓ વિષયમાં આસક્ત હોય છે તેઓને મનમાં અનેક પ્રકારના સંતાપ થવા એ કાંઇ દુર્લભ મમત નથી એમ અમે તને અગાઉથીજ કહ્યું હતું; એટલે જે વિષયમાં આસક્ત હોય છે તેઓને મનના સંતાપેા થયાજ કરે છે. વળી અમે તને વિશેષમાં કહ્યું હતું કે જે પ્રાણીઓ પૈસા પેદા કરવાની બાબતમાં અને તેનું રક્ષણ કરવાની બાબતમાં મંડ્યા રહે છે તેથી આપત્તિએ બહુ દૂર રહેતી નથી ( એવા પ્રાણીઓની નજીક દુઃખ-પીડા રહ્યા કરે છે અને ઘણા ટુંકા વખતમાં તેની સાથે મળી જાય છે). આ પ્રમાણે હકીકત અમે તને કહી હતી છતાં તને તે તેના ઉપરજ વધારે વધારે પ્રેમ થતા જાય છે. વળી એક બીજી પણ વાત છે તે એ કે જ્ઞાન દર્શન ચારિત્ર જે સર્વ લેશરાશિરૂપ મહા અજીર્ણના નાશ કરનાર છે અને તેમ કરીને જે પરમ શાંતિ આપનાર છે તેના ઉપર તું અનાદરની નજરથી જુએ છે; ત્યારે અમે તે હવે શું કરીએ? જે અમે ત્યાગ કરવાના સંબંધમાં કાંઇ એલીએ છીએ તે તું આકુળ વ્યાકુળ થઇ જાય છે; આથી તારા ઉપર અનેક પ્રકારના ઉપદ્રવા થયા કરે છે તે અમારી પેાતાની આંખથી અમે જોયા કરીએ છીએ તેપણ તને ખરાબ રસ્તે જતાં વારીએ તે તું આકુળ વ્યાકુળ થઇ જા તે ભયથી અમે ચૂપ બેસી રહીએ છીએ. જે પ્રાણીઓને એ જ્ઞાન દર્શન ચારિત્ર ઉપર આદર હાય છે, જેઓ વિરૂદ્ધ કર્મોના ત્યાગ કરતા જતાં ડાય છે અને જે સમજ આપવાની એક વધારે રીતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy