SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] શાંત અવસ્થામાં સ્વરૂપબેધ. ૧૮૫ કરવાથી વારતા નથી. આ સુંદર ત્રણે ઔષધે જે મહા શાંતિ કરનારાં છે તેના ઉપર તારી શિથિલતા છે! અને આ સર્વ પ્રકારના સંતાપને કરનારા ભજન ઉપર તારી રૂચિ છે! ખરેખર તારી સ્થિતિ ઘણું વિચિત્ર છે. તું અત્યારે રડે છે પણ તને શાંતિ આપે તેવી બાબત કઈ અત્યારે તે વિદ્યમાન જ|તી નથી. બીજી, એમ પણ વાત છે કે જેને અપથ્ય ઉપર બહુ પ્રેમ હોય છે તેને ઔષધ લાગુ પડી શકતાં નથી. હું તારી પરિચારિકા હોવાથી મને પણ આ બાબતમાં અપવાદ આવે છે. હું તને આટલી વાત સમજાવું છું પણ તેને સારું કરવાની હાલ મારામાં શક્તિ નથી.” આ પ્રમાણે તદયાની વાત સાંભળી નિપુણ્યક બેલ્યો “ જો તેમજ હોય તો તમારે મને હવેથી તુરછ ભજનનો ઉપયોગ કરતાં વારંવાર વાર્યા કરો, કારણ કે એ ભજન કરવાની મને એટલી પ્રેમપૂર્વક ઈચ્છી રહ્યા કરે છે કે મારી પોતાની મેળે તેને ત્યાગ કરવાનો ઉત્સાહ મારામાં આવે એમ મને લાગતું નથી. તમારા પ્રભાવથી એ ખરાબ ભેજનનો થોડે થેડે ત્યાગ કરતાં સર્વને ત્યાગ કરવાની શક્તિ પણું મારામાં આવશે.” તયાએ હર્ષના આવેશમાં આવી જઈને કહ્યું “શાબાશ છે, શાબાશ છે! તારા જેવાને એ પ્રમાણે કરવું તે યોગ્ય જ છે.” આ પ્રમાણે કહીને પછી તેને વધારે ખરાબ ભેજન લેતાં તે વારંવાર વારવા લાગી. આવી રીતે વારંવાર કહેવાથી તે અપથ્ય ભજનનો થોડે થોડે ત્યાગ પણ કરવા લાગ્યો તેમ તેમ તેના વ્યાધિઓ ઓછા પણ થવા લાગ્યા, વિશેષ પીડા થતી હતી તે અટકતી ગઈ અને ઔષધે શરીર પર અસર કરવા લાગ્યાં. જ્યારે તયા નજીકમાં હોય ત્યારે નિપુણ્યક સુંદર ભજન કરે અને અપથ્ય ભજન ડું લે તેથી વ્યાધિઓ ઓછા થાય, પરંતુ વળી તે જરા દૂર જાય એટલે હજુ તેનામાં અપથ્ય ભજન ઉપર લપટપણું ઘણું હોવાથી તે ખાવા મંડી જાય અને ઔષધે જરા પણ લે નહિ તેથી વળી પાછા અજીર્ણવિકાર થઈ આવે. ધર્મબોધક પિતાની દીકરી તયાને આખા લોકના પાલક તરીકે અગાઉથી નીમેલી હતી તેથી તેને અનંત લોકની સંભાળ રાખવામાં રોકાઈ રહેવાનું હતું અને તેને લઇને તે આ નિપુણ્યક પાસે તો કઈ કઈ વાર આવી શકતી એટલે બાકીને બધો વખત તે તદ્દન છૂટો રહેતો હતો. એવા વખતમાં અપથ્ય ખાવાથી કેઈ તેને વારતું નહિ, તેને લીધે વ્યાધિ સંબંધી વિકારે પાછા ઉભવી નીકળતા હતા, જેથી પાછું “એ ભગવાન એના એ—એના જેવું તેને થઈ જતું હતું. એ તે પછી તેજ ખાડા અને તેજ મેંઢાવાળી વાત થતી હતી.” ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy