SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૧ રેગોને વધી જવાનું મજબૂત કારણ મળી જાય છે. વ્યાધિઓને વધી જવાનું એક વાર કારણ મળી આવે એટલે તે જેમ વધી જાય છે અને પ્રાણીને હેરાન કરે છે તેમ તેઓ આ પ્રાણુ ઉપર પોતાની અસર બરાબર બતાવે છે, પોતાના અનેક પ્રકારના વિકારોની અસર આ પ્રાણુ ઉપર કરી મૂકે છે, તે વખતે આદર વગર કરેલાં સહેજસાજ સારાં અનુષ્ઠાનથી આ પ્રાણુને બચાવ થઈ શકતો નથી. એટલે પછી અકાળે જેમ શૂળની પીડા થઈ આવે તેના જેવી ધન (પૈસા) ના ખરચની ચિંતાથી કઈ વખત તે પીડાય છે, કેઈ વખત પારકાની ઈર્ષાના દાહ (બળતરા)થી બળી જાય છે, કેઈ વખત તેનું સર્વસ્વ નાશ પામી ગયું હોય ત્યારે જાણે ભરવાની અણી પર આવી ગયું ન હોય તેમ મૂચ્છ પામી જાય છે, કેઈ વખતે કામન્વરથી થતી પીડાને લીધે તરફડે છે, કેઈ વખત લેણદારે તેનું ધન લઈ જાય તેની પીડાથી જાણે શરદીથી ઠરી ન ગયે હોય તેવો થઈ જાય છે, “અહો આ તે જાણ કાર છે છતાં કેવો ઉલટે રસ્તે ચાલે છે એ પ્રમાણે લેકેમાં કહેવાતી મૂર્ખતાવડે હૃદયમાં ખેદાય છે, કેઈ વખત ઈષ્ટ વસ્તુને વિગ અને અનિષ્ટ વસ્તુને સંગ જેને બન્ને પડખાંમાં અને હૃદયમાં થતી શૂળની વેદના સાથે સરખાવવા યોગ્ય છે તેનાથી હેરાન થયાં કરે છે, કેઈ વખત તે પ્રમાદી (આળસુ, સુસ્ત) પ્રાણીને ફરીવાર 'મિથ્યાત્વરૂપ ઉન્માદને સંતાપ ઉત્પન્ન થાય છે, સારાં અનુષ્ઠાન કરવાં એ વ્યાધિ મટાડવા માટે પથ્ય-પચે તેવું ભજન છે તેના તરફ અરૂચિ થવારૂપ ઉપાધિ કઈ વખત તેને થઈ આવે છે-આવી રીતે અપથ્ય સેવવામાં આસક્ત થયેલે આ જીવ દેશવિરતિની કટિ પર ચઢવા લાગેલે હોય છે તે પણ એવા એવા વિકારોથી હેરાન થયાં કરે છે. વસ્તુવિચારણા-તડ્યા સ્થિરીકરણ, ત્યારપછી કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું છે કે “આવી રીતે વ્યાધિઓની પીડાથી ઘેરાયેલા અને રડતા નિષ્પકને એક વખત દયાળુ તદ્દયાએ જો અને તેના સંબંધમાં વિચાર કરીને તે બોલી ભાઈ ! પિતાજીએ તને પ્રથમથી જ કહ્યું છે કે તારા શરીરે આ સર્વ વ્યાધિઓ છે તે ખરાબ ભેજન ઉપર તને પ્રીતિ છે તેને લઈને જ છે. અમે આ તારી સર્વ હકીકત જોઈએ છીએ, સમજીએ છીએ, પણ તને આકુળતા ન થાય તેટલા સારૂ તને તારા ખરાબ ભેજનનું ભક્ષણું ૧ પાત થવાથી મિથ્યાત્વમાં ચાલ્યા જાય ત્યારે એ પ્રમાણે થાય છે. ૨ જુઓ કથાપ્રસંગ પૃ. ૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy