SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] અંતઃકરણના આદર વગરની પ્રવૃત્તિનું પરિણામ. ૧૮૩ હાય તાપણુ તે આ ભવમાં અથવા પરભવમાં જરૂર ધન વિષયનાં સાધના વધારી આપે છે તે આ સુંદર ભાજનના સંબંધથી તુચ્છ ભેાજનના વધારો થાય છે એ બાબતની ખરાબર સમજવું. મંદ સંવેગથી ગ્રહણ કરેલાં વ્રત નિયમોના પ્રભાવથી પ્રાપ્ત થયેલાં ધન વિષય વિગેરેના વારંવાર ઉપભોગ કરવામાં આવે તાપણ પેલાં વ્રત નિયમે મજબૂત કારણ હોવાને લીધે ધન વિષય ખૂટતાં નથી એટલે જેમ ધન વિષય વપરાતાં જાય છે તેમ વ્રત નિયમના પ્રભાવથી બીજાં મળતાં જાય છે. આ પ્રાણી તે મનુષ્યપણામાં અથવા દેવગતિમાં પેાતાની સંપત્તિ વારંવાર વધતી જતી જોઇને બહુ આનંદમાં આવી જાય છે; પરંતુ એ બાપડાને એમ માલૂમ પડતું નથી કે એ ધનવિષય વિગેરે પાતાને વધારે પ્રાપ્ત થતાં જાય છે તે તે માત્ર ધર્મના પ્રભાવથીજ થાય છે તેમાં આનંદ પામવા જેવું શું છે? વાસ્તવિક રીતે તેા જે ધર્મના પ્રભાવથી એ વધે છે તેજ કરવા યુક્ત છે-પણ આવી હકીકત તેના ધ્યાન પર આવતી નથી. આવા વસ્તુસ્વરૂપના જ્ઞાન ઉપર લક્ષ્ય નહિ આપતાં તે ધન વિગેરે ઉપર વધારે આસક્તિ રાખે છે અને જ્ઞાન દર્શન અને દેશથી ચારિત્ર તે ગ્રહણ કરતા હાય છે તેના તરફ વધારે શિથિળતા અતાવે છે. વળી આવી રીતે વસ્તુસ્વરૂપ જાણતાં છતાં અજાણ્યા મનુષ્યની પેઠે મેાહના દાષને લીધે તે નકામા વખત ગાળે છે. આવી રીતે જ્યાંસુધી તેનું ધન વિષય ઉપર મન ઘણું ચોંટેલું રહે છે અને ધર્માનુષ્ઠાન કરવા તરફ આછે આદર રહે છે ત્યાંસુધી ગમે તેટલા વખત તે ગાળી નાખે પણ તેના રાગ વિગેરે ભાવરોગ નાશ પામતા નથી. ગુરુ મહારાજના આગ્રહથી મન્દ ભાવે પણ થાડાં થોડાં સારાં અનુષ્ઠાના કરે છે તેથી તેને થોડા ઘણા ગુણ થાય છે. મતલમ એ છે કે તેના ભાવરગા તેથી તદ્ન શાંત પડતા નથી, કારણ એનામાં હજી ધર્મ માટે અંતઃકરણના આદર નથી, ગુરુ મહારાજના આગ્રહથીજ સારી પ્રવૃત્તિ જરા જરા કરે છે તેથી વ્યાધિઓ શાંત રહે છે, પણ ક્ષય પામી જતા નથી. હવે આ પ્રાણીને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તે ધન વિષય ઉપર બહુ આસક્તિ રાખે છે, ઘણા પરિગ્રહ ( ધન ધાન્ય વસ્તુઓને સંગ્રહવી, તે ઉપર પોતાપણું સ્થાપન કરવું તે ) રાખે છે, માટી જાળ પાથરી હોય તેવા મેટા પાયા ઉપર વ્યાપાર શરૂ કરે છે, ખેતીવાડીના ધંધા આદરે છે અને આવા પ્રકારના ખીજા અનેક આરંભા શરૂ કરે છે. આ પ્રમાણે થવાથી રાગ વિગેરે ભાવ ભાવરાગમાં વધારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy