SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ-કથાસાર ૧૯ હતો, પણ તેને એક સદાગમ નામના માણસે બહેકાવ્યો; પછી તે ભવજતુએ તેને પરિચય ઓછો કર્યો અને આખરે તેને સંગ તદન છોડી દઈને તે નિવૃત્તિ નગરીએ ચાલ્યો ગયો. તેના વિરહ પોતે આપઘાત કરે છે. સ્પર્શનને બળે દિલાસે આપે અને પોતાની સાથે મૈત્રી જોડવા કહ્યું. સ્પર્શને તે વાત કબૂલ કરી. વાતચીત દરમ્યાન મનીષી તો વિચાર જ કર્યા કરતે હતો પણ લોકરૂઢિ ખાતર તેણે પણ સ્પશન ઉપર પ્રેમ દેખાડો. ત્રણે જણા નગરમાં પાછા ફર્યા અને સ્પર્શનની ઓળખાણ થયાની વાત કરવા લાગ્યા. તે હકીકતથી કમપરિણામ રાજા રાજી થયા, અકુશળમાળા પણ ખુશી થઈ પણ શુભસુંદરી તે વ્યાકુળ થઈ ગઈ. પૃષ્ઠ ૩૭૪-૩૮૩ પ્રકરણ ૪ થું-સ્પર્શનમૂળશુદ્ધિ. સ્પર્શન તો હવે બન્ને રાજપુત્રને મિત્ર થયે, પણ મનીષીને તેની સાથે બરાબર ઘાટ બેઠે નહિ, પછી એ સ્પર્શન કોણ છે તેની બરાબર બાતમી મેળવવા પિતાના અંગરક્ષક બોધને મનીષીએ આજ્ઞા કરી. બધે પોતાના માણસ પ્રભાવને આજ્ઞા કરી એટલે તેણે પરદેશમાં ફરી તપાસ કરી આવી નીચે પ્રમાણે અહેવાલ કહ્યો અંતરંગમાં રાજસચિત્ત નગરે રાગકેશરી રાજા રાજ્ય કરે છે. તેને વિષયાભિલાષ નામને અમાત્ય છે. તે નગરે હું ગયું. ત્યાં મેટે ખળભળાટ જોયો. ત્યાં વિપાક નામના એક રાજપુરૂષને તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે “અમારા રાજાને આખી દુનિયા૫ર જય મેળવવાની ઇચ્છા થઈ છે, તેથી મંત્રીએ પોતાના સ્પર્શન વિગેરે પાંચ પુત્રોને બધે મોકલી આપ્યા છે. તેઓ વિજય મેળવતા ચાલ્યા પણ માર્ગમાં એક સંતોષ નામને તેમને દમન મળે તે કેટલાકને નિવૃત્તિપુરીએ મોકલી આપે છે. રાગકેશરી રાજાને એ વાતની ખબર પડતાં પોતે લડાઈમાં જવા તૈયાર થયા. ચાલતી વખત પોતાના વૃદ્ધ પિતા મહામહને પગે પડવા ગયા. એ મહામહ બહુ જબરે સત્તાધારી છે પણ ઘડપણને લઈને તેણે પુત્રને રાજ્ય સોંપ્યું છે. તેણે રાગકેશરી પુત્રની વાત સાંભળી એટલે પોતે પણ લડવા તૈયાર થઈ ગયો. અંતે એમ ઠર્યું કે પિતા અને પુત્ર બન્નેએ સાથે લડવા જવું–તેનું લશ્કર લડવા જવાનું છે તેની તૈયારીને આ અવાજ છે, એમ કહી વિપાક વિદાય થયો. આ પ્રમાણે સ્પર્શનનું ઉત્પત્તિસ્થાન જાણને પ્રભાવે બધાને જણાવ્યું અને બેધે તે વાત મનીષીને કહી બતાવી. પૃષ્ઠ ૩૮૩-૩૯૬ પ્રકરણ ૫ મું-સ્પર્શનની ગતિ . વાતને મેળ મેળવવા એકવાર મનીષીએ સ્પર્શનને પૂછયું કે “ભવજંતુ સાથે કહ્યું હતું ? તેના જવાબમાં કેટલીક આનાકાની પછી સ્પર્શને જણાવ્યું કે તેની સાથે સંતોષ હતો.' મનીષીએ તે વખતે મનમાં નિર્ણય કર્યો કે "સ્પર્શનને વિશેષ પરિચય સારે નથી, ઉપર ઉપરથી સ્નેહ કરવા યોગ્ય જ તે છે. એકવાર સ્પરને ચાલાકી કરવા માંડી, સુખ આપવાને બહાને યોગશક્તિને આવિર્ભાવ કર્યો અને સમાધિને ડોળ કરી બન્નેના શરી૨માં પ્રવેશ કર્યો. બાળ તે સ્પર્શ સુખમાં રાચી ગયે, ઊંડે ઊંડે ઉતરતો ચાલ્યો અને તેમાં સુખ માનવા લાગ્યો. મનીષી તો પ્રથમથી ચેતો હતો તેથી ઉપરથી હેત બતાવે પણ સ્પર્શનને મચક આપે નહિ. બાળ સ્પર્શન ઉપર વધારે આસક્ત થતે ગયે, પણ મનીષી તે તેની ગૂઢ રીતે મશ્કરી જ કર્યા કરતો હતો. બાળની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy