SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. બુદ્ધિસમુદ્ર નામના કળાચાર્ય પાસે મૂકયે। જ્યાં તેના રાજમિત્રાને પણ તે સતાવતા રહ્યો અને ગુરૂ ઉપર પણ તેણે પેાતાના ધાક બેસાડી દીધેા. વૈશ્વાનર ઉપર તેના પ્રેમ વધતા જ ચાહ્યા એટલે વૈશ્વાનરે એને ક્રૂરચિત્ત નામનાં વડાં ખાવા આપ્યાં અને જરૂર પડે ત્યારે પ્રસાદ આરેાગવા જણાવી દીધું. રાજાએ એક વખત વિદુર નામના વફાદાર સેવકને કુમારના અભ્યાસ સંબંધી ખબર લાવવા આજ્ઞા કરી. વિદુર તેા કુમારના ઘમધમાટ અવલેાકી આભા જ બની ગયા અને પદ્મરાજને બધી હકીકત જણાવી. રાજાએ કળાચાર્યને ખેલાવ્યા અને સત્ય હકીકત જણાતાં વૈશ્વાનરના સંગ મૂકાવવાના ઉપાયની ચિંતવના કરી. કળાચાર્યે જિનમતજ્ઞ નામના નિમિત્તિઆની એ બાબતમાં સલાહ લેવા સૂચના કરી, તે રાજાએ સ્વીકારી. પૃષ્ઠ. ૩૪૪-૩૬૦ ૧૮ ' પ્રકરણ ૨ જું-ક્ષાંતિકુમારી, જિનમતજ્ઞ નિમિત્તકને ઉપાય પૂછતાં તેણે જણાવ્યું કે ચિત્તસૌંદર્ય નામના અતિ પવિત્ર નગરમાં એક બહુ ભલા શુભપરિણામ નામે રાજા રહે છે, તેને અતિ પવિત્ર નિષ્રકંપતા નામની રાણી છે, એ રાણીને ગુણાનું ધામ ાંતિ નામની દીકરી છે, એની સાથે જો નંદિવર્ધનના લગ્ન થાય તા તેને વૈશ્વાનરના સંગ મટે–' રાજાને તે વાત ગળે ઉતરી એટલે કન્યા માટે કહેણ મેાકલવા વિચાર કર્યો. નિમિત્તિએ જણાવ્યું કે એ નગર, રાજા અને પુત્રી અંતરંગ છે, ત્યાં આપણા પ્રવેશ નથી, ત્યાં તેા કર્મયરિણામ રાજા જે સર્વના ઉપરી છે તેનું જોર ચાલે છે અને તે પેાતાની બહેન લેાકસ્થિતિ, ભાર્યા ફાળપરિણતિ અને સ્વભાવ તથા ભવિતવ્યતાની સલાહ પ્રમાણે કામ કરે છે. તે રાજા જ્યારે પ્રસન્ન થઇ ઉક્ત કન્યા પરણાવશે ત્યારે નંદિવર્ધન ઠેકાણે આવશે.' રાજા તે વાત સાંભળીને નિરાશ થયા પણ કળાચાર્યના અને નિમિત્તિઆના આભાર માન્યો. રાજાએ આમ છતાં પણ બનતા પ્રયત કરવા વિદુરને ફરી કુમાર પાસે માકલ્યા. વિદુરને કુમારે એક દિવસ વચ્ચે ન આવવાનું કારણ પૂછતાં પાતે સાંભળેલી વાત કહેવા માંડી. તે વાર્તા ધણી લાંખી છે. નીચેની વાર્તા વિદુર કહે છે અને સંસારીછવ (નંદિવર્ધન) સાંભળેછે. પૃ. ૩૬૧-૩૭૩, સ્પર્શન-કથાનક. પ્રકરણ ૩ -મનીષી અને માળ. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં કર્મવિલાસ નામના રાજા હતા, તેને શુભસુંદરી અને અકુશળમાળા નામની રાણીએથી અનુક્રમે મનીષી અને માળ નામના પુત્ર થયા હતા. સ્વદેહ નામના બગીચામાં બન્ને ભાઇએ એક વખત રમતા હતા ત્યાં કાઇ પુરૂષ ફાંસીએ લટકવાની તૈયારીમાં દેખાયા. ખાળે ઝટ દોડીને દોરડું કાપી નાખ્યું અને આપધાત કરવાનું કારણ પૂછ્યું. તે પુરૂષે જણાવ્યું કે તેનું નામ સ્પર્શન હતું, તેને એક ભવજંતુ નામના મિત્ર હતા, તેનાપર બહુ પ્રીતિ રાખતા હતા અને પેાતે કહે તેમ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy