SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ હિબધ] અગ્યને ઉપદેશ ન દે. ૧૭૭ હકીકત કહી ગયા હતા અને મેહને લીધે જે સર્વ હકીકત આ પ્રાણીએ ધ્યાનમાં રાખી નહતી તે સર્વ વાત ફરી વાર તેને કહી સંભલાવે છે. ત્યારપછી ધર્મ સંબંધી બાબતમાં તેને એ પક્કો બનાવ કે જેથી ભવિષ્યમાં પણ તે આચારભ્રષ્ટ થઈ ન જાય, તેટલા માટે તેની પાસે ગુરુ ધર્મની સામગ્રી મેળવવી કેટલી મુશ્કેલ છે તેનું દિગ્દર્શન કરાવે છે, રાગ વિગેરે અંદરના ખરેખરા ભાવને કેવા પ્રબળ છે તે પર વ્યાખ્યાન આપે છે અને આવી બાબતમાં પોતે પણ સ્વતંત્ર નથી, આજ્ઞાનુસાર કામ કરનારા છે એ હકીકત રજુ કરે છે. આ સર્વે બાબતનું પ્રતિપાદન કરતાં ગુરુ મહારાજ આ પ્રાણીને કહે છે “હે “ભદ્ર! તને જેવી સામગ્રી હાલ મળી આવેલી છે તેવી નશીબ વગરના (અન્ય) પ્રાણીઓને કદિ પણ મળતી નથી; વળી અમે અપાત્ર પ્રાણીઓના સંબંધમાં પ્રયાસ પણ બનતાં સુધી કરતા નથી; કારણ કે “અમને સુસ્થિત મહારાજે આજ્ઞા કરી છે કે એમનાં જ્ઞાન દર્શન ચારિત્ર “યોગ્ય પ્રાણીઓને જ આપવાં અને અયોગ્ય પ્રાણીઓને આપવાં નહિ. અગ્ય પ્રાણીને આપવાથી તે (જ્ઞાનાદિ) સ્વાર્થ સાધન કરી આપતા “નથી એટલું જ નહિ, પણ ઉલટું વિપરીતપણું કરી અનેક ઉપાધિઓ અને દુઃખે ઉત્પન્ન કરે છે અને વધારી મૂકે છે. धर्मानुष्ठानवैतथ्यात्प्रत्यपायो महान् भवेत् । रौद्रदुःखौघजनको, दुःप्रयुक्तादिवौषधात् ॥ “ મતલબ એ છે કે જેમ ઔષધને યોગ્ય રીતે આપ્યું ન હોય તે લાભ થવાને બદલે તેનાથી હેરાનગતિ થાય છે તેવી રીતે ધર્માનુછાનનું વિતથપણે આચરણ કરવાથી–અયોગ્યને ઉપદેશવાથી તે “ભયંકર દુઓને ઉત્પન્ન કરનાર થઈ પડે છે.” “હે ભાઈ! ભગવાનની કૃપાથી આ જીવ યોગ્ય છે કે યોગ્ય નથી તે જાણવું અમને ગુરુપરંપરાથી બની આવ્યું છે અને ગુરૂપરંપરાઃ “તેથી ભગવાનને એ સંબંધમાં હુકમ શું છે તે અમે અધિકારી વર્ણન. “ જાણીએ છીએ. આ જ્ઞાન દર્શન ચારિત્ર એવી વસ્તુ Kછે કે એ અમુક જીવ સાધ્ય છે કે અસાધ્ય છે, ગ્ય “છે કે અયોગ્ય છે તે બરાબર બતાવી આપે છે. અમુક જીવને બોલાવી “તેની પરીક્ષા કરવાનું સાધન તે જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા બહુ સારું * પ્રાપ્ત થાય છે એમ ભગવાને પ્રતિપાદન કર્યું છે. જે પ્રાણીઓ પહેલી “અવસ્થામાં વર્તતા હોય છતાં તેમની પાસે એ જ્ઞાન દર્શન ચારિત્ર સંબંધી વાત કહેવામાં આવે તો તે જેઓને બહુ પસંદ આવતી હોય, જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy