SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૧ જે ણવા ઉપરથી તે આ મંદિરમાં રાખવા યોગ્ય છે કે નહિ તેની ખબર પડી આવે છે. આ ઔષધ ઉપર જે પ્રાણીઓનાં મનમાં પ્રેમ થાય અને તેના ઉપયોગ કરવાથી ગુણુ કરનાર થાય અને તેમ કરવામાં પ્રયાસ કરવા ન પડે તે પ્રાણીઓને સુસાધ્ય વિભાગના જીવા તારે સમજવા. શરૂઆતમાં ઔષધાને ગ્રહણ કરે નહિ, પરંતુ જેને પ્રયાસ કરીને ઔષધેા વાપરવા માટે સમજાવવામાં આવે અને જે વખતના વહેવા સાથે ધીમે ધીમે ઔષધે! વાપરે તે કૃસાધ્ય વિભાગના પ્રાણીઓ છે એમ તારે સમજવું. જેને આ ઔષધ ઉપર જરા પણુ પ્રેમ ન થાય, જેને ઔષધ આપવાની ગોઠવણુ કરવામાં આવે તે પડી ભાંગે અને જેએ ઔષધ આપનાર ઉપર ઉલટા દ્વેષ કરે તેને અસાધ્ય વિભાગના પ્રાણીએ સમજવા’-આ પ્રમાણે અમારા મહારાજાધિરાજ સુસ્થિતરાજે મને સંપ્રદાયથી કહી રાખ્યું છે તે ઉપરથી તું વચલા કૃસાધ્ય વર્ગના પ્રાણી છે. એમ તારાં લક્ષણ ઉપરથી જણાય છે. બીજી પણ તને એક વાત કહું તે સાંભળઃ મારી આ ઔષધ કરવાની ક્રિયા જે અનંત શક્તિથી ભરપૂર છે અને જે સર્વ વ્યાધિને નાશ કરે તેવી છે તે જે પ્રાણીએ અમારા મહારાજાને પાતાની આખી જીંદગી સુધી ખાસ કરીને ભાવથી રાજા તરીકે સ્વીકારે છે અને તે સંબંધમાં પેાતાના મનમાં કોઇ પણ પ્રકારની શંકા રાખતા નથી તેનેજ ગુણ કરે છે, ફાયદો કરે છે, લાભ કરે છે; તેથી તું અમારા મહારાજાને તારા નાથ તરીકે સ્વીકાર, કારણુ કે મહાત્મા પુરુષા ભાવપૂર્વક ભક્તિથીજ પેાતાના થાય છે. અનેક રોગી પ્રાણીએ અગાઉ મહારાજાને નાથ તરીકે ભક્તિપૂર્વક સ્વીકાર કરીને આનંદ પામ્યા, રાગ રહિત થઇ ગયા અને પેાતાનું કામ સાધી ગયા તેના દાખલાએ માજીદ છે. તારા રેગા ઘણા આકરા છે, તારૂં મન તુચ્છ ભાજન ઉપર હજી લાગેલું છે, તેથી મને એમ લાગે છે કે તારા સંબંધમાં અસાધારણ પ્રયત્ન કર્યો સિવાય તારા વ્યાધિઓ નાશ પામી જશે નહિ, તેટલા માટે હે ભાઈ ! સાવધાન થઇ, યત્ન કરી, તારૂં મન સ્થિર કરી આ વિશાળ રાજભુવનમાં રાજીખુશીથી રહે અને આ મારી દીકરી તને વારંવાર ત્રણે ઔષધો આપ્યા કરશે તેને લઇને તારા આત્માનું આરોગ્ય કર.” ” આ લંબાણુ હકીકતની આ જીવના સંબંધમાં યાજના નીચે પ્રમાણે કરવી. ઉપર વિસ્તારથી હકીકત જણાવી તે પ્રમાણે જ્યારે આ પ્રાણી ગુરુ મહારાજ સમક્ષ પોતાના સર્વ વૃત્તાંત કહી દે છે અને ત્યારપછી તેમની પાસેથી પાતે હવે શું કરવું તે સંબંધમાં સલાહ માગે છે ત્યારે ગુરુ મહારાજ તેના ઉપર અનુકંપા (દયા) લાવીને અગાઉ પોતે જે કૃપા કરીને પુનઃ કથન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy