SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ પીઠબંધ] અસર ઉપજાવવા ઉપદેશનું પુનઃ કથન. ઔષધના અધિકારીનું લક્ષણ મૂળ કથાપ્રસંગમાં ત્યારપછી કહેવામાં આવ્યું તે આ પ્રમાણે છે. “નિપુણ્યકની આ સર્વ હકીકત સાંભળીને દયાના સમુદ્ર ધર્મબંધકરે પ્રથમ જે વાત ટુંકામાં સમજાવી હતી તે પાછી ફરી વાર અતિ વિસ્તારથી સમજાવી. ત્યારપછી પોતાનાં વિમળાલેક અંજન, તત્ત્વપ્રીતિકર પાણી અને મહાકલ્યાણક અન્નની અને ખાસ કરીને સુસ્થિત મહારાજ સંબંધી અને તેના અનેક ગુણ સંબંધી હકીકતથી તેને અજાયે જાણીને તેને આ પ્રમાણે કહ્યું “હે ભાઈ! મને મહારાજા સાહેબે અગાઉ હુકમ કર્યો છે કે તેને ત્રણે ઔષધે મારે ગ્ય માણસને જ આપવાં. જે એ ત્રણે ઔષધે કે અયોગ્યને આપવામાં આવશે તો તે ઉપકાર નહિ કરે એટલું જ નહિ, પણ ઉલટાં અનેક પ્રકારના અનર્થોને ઉત્પન્ન કરશે. અમારા મહારાજાને આ આદેશ સાંભળીને અમુક પ્રાણું પાત્ર છે કે નહિ તેને કેવી રીતે ઓળખ એવી મુશ્કેલીને મેં સવાલ પૂછડ્યો હતો તેના જવાબમાં મહારાજાધિરાજે આ ઔષધને યોગ્ય પ્રાણીનાં લક્ષણે બતાવ્યાં હતાં તે આ પ્રમાણે - જે રેગી પ્રાણીઓ આ ઔષધ લેવાને હજુ સુધી યોગ્ય થયા નથી તેને કમૅવિવર દ્વારપાળ આ રાજમંદિરમાં દાખલજ કરતા નથી. મેં સ્વકર્મવિવર દ્વારપાળને હુકમ આપી રાખ્યો છે કે તેણે જે આ ત્રણે ઔષધેને યોગ્ય હોય તેવા પ્રાણીને જ રાજભુવનમાં દાખલ કરવા અને જેઓ એ ઔષધને યોગ્ય ન હોય તેને દાખલજ કરવા નહિ. તેમ છતાં કઈ પ્રાણું આ મંદિરમાં દાખલ થઈ ગયા હોય પણ જે મારો મહેલ જોઈ આનંદ પામે નહિ તેના ઉપર મારી દષ્ટિ મોટે ભાગે પડતી નથી, તેથી એવા પ્રાણીઓને બીજા કેઈ દ્વારપાળે ગમે તેમ કરીને અંદર દાખલ કરેલા છે એમ તારે તેઓનાં ચિહ ઉપરથી સમજી લઈને તેઓનો સંભાળથી ત્યાગ કરવો. જેઓ મારૂં મંદિર જોઈને પિતાના મનમાં આનંદ પામે છે-હર્ષમાં આવી જાય છે અને જેઓના આત્મા વિકસ્વર થાય છે તેવા રોગીઓનું ભવિષ્યમાં સારું થવાનું હોવાથી તેવાઓ ઉપર હું ખાસ કૃપાદષ્ટિ કરું છું. સ્વકર્મવિવરે જેને મંદિરમાં પ્રવેશ કરાવ્યો હોય અને જેના ઉપર મારી કૃપાદૃષ્ટિ પડતી હેય તે પ્રાણીઓ આ ત્રણે ઔષધને યોગ્ય છે એમ તારે સમજવું. આ ત્રણે ઔષધો તે પ્રાણુઓની કસોટી કરનારાં છે. એ ઔષધ પ્રાણીઓને આપવાથી તેને તે પ્રાણી ઉપર કેવો ગુણ થાય છે તે જા ૧ આ આખી હકીકત અહીં અગાઉ પૃ. ૩૪ થી દાખલ કરી છે, તે ખાસ વિચારવા યોગ્ય છે. મૂળ ગ્રંથમાં તેને સારજ આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy