SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ છતાં જેવી રીતે કે ઈ માણસે રીંગણાં અને ભેંસનું દહીં વધારે ખાધાં હોય તો તે જેમ ઉંઘ ( નિદ્રા)નું નિવારણ કરી શકતો નથી અથવા તો જેમ કેઇએ મંત્રથી પવિત્ર નહિ કરેલું આકરું ઝેર પીધું હોય તે પોતાની અવ્યવસ્થિત સ્થિતિને-વિહળતાનો ત્યાગ કરી શકો નથી તેવી રીતે કર્મની પરતંત્રતાને લીધે ધન વિષય ઉપર અનાદિ કાળથી થતી મૂચ્છને (અજ્ઞાનજન્ય પ્રીતિરાગને) કેઈ પણ પ્રકારે રેકવાને હું શક્તિવાન્ થતો નથી. ઘણુ વખતના અભ્યાસથી એ વસ્તુ ઉપરની મૂચ્છનું બહુજ જે મારા પર ચાલ્યા કરે છે અને તેનાથી વિહળ થયેલો હોવાથી જેમ કઈ બહુ ઉંઘમાં પડી ગયેલા માણસને કઈ રાડ પાડી પાડીને જગાડે તેના શબ્દો આકરાં બાણ જેવાં લાગે તેમ આપની ધર્મદેશના મને ઉગ કરાવતી હતી. આપ જે હકીકત બેલતા હતા તે હું સાંભળતો હતો અને તેમાં રહેલી મધુરતા, ગંભીરતા, ઉદારતા અને પરિણામસુંદરતા વિચારતાં વચ્ચે વચ્ચે કઈ કઈ વાર મને આનંદ પણ થતો હતો. પછી “તું અશક્ત છે તેથી અમે સર્વ વસ્તુઓનો ત્યાગ કરાવવા પ્રયત્ન કરતા નથી” એ પ્રમાણે જ્યારે આપ સાહેબે જણાવી દીધું ત્યારે મારા મનમાં જે ઊંડી બીક પેસી ગઈ હતી તે દૂર થઈ અને તેથી જ આટલી વાત ખુલ્લા મનથી આપની સમક્ષ હું કહી શક્યો છું. નહિતર તો જ્યારે જ્યારે આપ સાહેબ દેશના ( ઉપદેશ) દેવા પ્રવૃત્ત થતા ત્યારે ત્યારે મારા મનમાં એવાજ સંકલ્પ વિકલ્પ થયા કરતા કે-આ સાહેબ પોતે પૈસા કે વિષયની કે પણ પ્રકારની સ્પૃહા (છા) કરનાર ન હોવાથી મારી પાસેથી પણ બધું છોડાવવા યત કરે છે અને એ ધન વિષય વિગેરેને ત્યાગ કરવાને હું શક્તિવાનું નથી, મારાથી તેને કોઈ પણ પ્રકારે ત્યાગ થઈ શકે તેમ નથી, તેથી એ મારે માટે જે પ્રયાસ કરે છે તે સર્વથા નકામે છે-આ પ્રમાણે વિચાર મારા મનમાં ચાલતા હોવાથી બીકને લીધે મારા મનના વિચારે આપની સમક્ષ કહી પણ શકતો નહોતો. મારામાં આટલી તાકાત છે એ આપને એ નિવેદન કર્યું, હવે મારે શું કરવું યોગ્ય છે તે આપ કૃપા કરીને ફરમાવે.” ૧ માદક પદાથી વધારે ખાવાથી ઉંઘ બહુ આવે છે તે દરરોજના અનુભવને વિષય છે. દુધપાક કે કેરીનો રસ ખાધા પછી બપોરે ઝોકાં આવવા સંભવિત છે તેવી રીતે દહીં અને રીંગણાંથી પણ દુધ બહુ આવે છે એમ તેના ખાનારા કહે છે. ૨ મંત્રથી પવિત્ર કરેલું-મંત્રિત કર વિહ્વળતા કરતું નથી, મંત્રથી પવિત્ર નહિ કરેલું-સાધારણ ઝેર તેના પ્રમાણમાં વિહ્વળતા જરૂર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy