SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] વ્યગ્ર મન પર ઉપદેશ લાગે નહિ. ૧૭૩ મનમાં આનંદ પામું છું અને વિચારું છું કે ભગવાનની (ગુરુની) કહેવાની ઢબ બહુ સારી છે'! આપ તેથી જ્યારે કાંઈ બોલતા હો છે ત્યારે મારું હૃદય જો કે તદ્દન શૂન્ય હોય તોપણ આંખે વિકસ્વર કરીને જાણે અત્યંત બુદ્ધિમાન હોઉં અને આપ બોલતા હો છો તે સર્વ સમજીને હૃદયમાં ઉતારતો હોઉં એવો ઉપર ઉપરને ડોળ કરીને સાંભળું છું, પરંતુ સાહેબ ! મારા જેવા પ્રાણીમાં તત્ત્વજ્ઞાન સ્થિરતા તો કેવી રીતે પામી શકે? મને તેનું જાણપણું કેવી રીતે થાય? કારણ કે આપ સાહેબ જ્યારે તત્ત્વના ગૂઢ પ્રદેશોના સંબંધમાં અસાધારણ પ્રયાસ લઈ વ્યાખ્યાન કરતા હો છો ત્યારે જાણે હું ઉંઘતે હોઉં, પીધેલ હાઉં, ઉન્મત્ત (ગાંડે) ઉં, મન વગરનો હોઉં, શેકથી લેવાઈ ગયેલ હોઉં અથવા તે જાણે મૂછ પામેલ હોઉં તેની પેઠે હું કોઈ પણ ધ્યાન આપતો નથી, આપનું બોલેલું મારા હૃદયમાં ઉતારતો નથી અને તે પર કદિ જરા લક્ષ્ય પણ આપતા નથી. મારા મનની આવી ખરાબ સ્થિતિ થયેલી છે તેનું કારણ પણ આપની સમક્ષ હું ખુલ્લા દિલથી કહી બતાવું છું તે આપ સાંભળે.” આવી રીતે પશ્ચાત્તાપપૂર્વક સર્વ બાબતની કબૂલાત કરતો આ પ્રાણુ ગુરુ મહારાજ પાસે પોતાના ખરાબ વર્તનની નિંદા કરે છે, પોતાના ખરાબ ભાષણે માટે ખેદ કરે છે, અગાઉ પિતાને ગુરુ મહારાજ સંબંધી, પિતા સંબંધી, સંબંધીઓ સંબંધી અને વસ્તુઓ સંબંધી કેવા કેવા ટા ફવિકલ્પ થતા હતા તે કહી સંભળાવે છે અને પ્રથમથી શરૂ કરીને અત્યાર સુધીનું પિતાનું સંપૂર્ણ ચરિત્ર ગુરુ મહારાજ સમક્ષ નિવેદન કરે છે. ત્યારપછી તે જણાવે છે કે “આપ સાહેબ મારૂં એકાંત હિત કરવાની ઈચ્છા રાખો છો એ વાત હું જાણું છું. મને એટલી પણ ખબર છે કે આપ વિષયાદિકની નિંદા તેટલાજ માટે કરે છે, એ જ હેતુથી વસ્તુસંગનો ત્યાગ કરવાને ઉપદેશ આપે છે, એવી રીતે ત્યાગ કરનારના મનમાં કેવું શાંતિસામ્રાજ્ય પથરાય છે તેનું આપ વર્ણન કરે છે અને એવા સુંદર જીવનના પરિણામે પ્રાપ્ત થતું પરમ પદ (મોક્ષ) છે તેનાં આપ મારા હિત સારૂ વખાણ કરે છે, ૧ વ્યાખ્યાન કરનાર ગુરુના સંબંધમાં આવીજ ટીકા અને વાતો કરતાં આપણે લોકોને અનુભવીએ છીએ. મુદ્દા કરતાં મહારાજની કહેવાની ઢબ પરજ વિવેચન વધારે થાય છે. સારગ્રહણને અંગે શ્રોતાને મેટે વર્ગ તો શાહુકાર રાખે છે. ગુરુ પાસેથી કાંઈ પણ લઈ જતો નથી. આસક્તિનું અને પરભાવરમણનું આ પરિણામ છે, જરા અવલોકન કરવાથી ગ્રાહ્ય થાય તેવું છે અને પરિણામે શોચનીય દશામાં લઈ જનારું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy