SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ તેવી હકીકત પર બહુ પ્રીતિ થતી હોય, એ ઔષધે સેવન કરનાર “પ્રાણીઓ જાણે કે જુદાજ હેય એ જેઓનાં મનમાં પ્રતિભાસ પડતો હોય, જેઓ સુખે સુખે એ ઔષધે ગ્રહણ સુસાધ્ય. “કરતા હોય અને જેઓ એ ઔષધ સેવવા માંડે કે તુરતજ પિતામાં કોઈ મોટો ફેરફાર બતાવી શકતા હોય તે પ્રાણીઓ લઘુકમ હોઈને થોડા વખતમાં મેક્ષે જનાર છે “અને સુંદર લાકડાની પેઠે ગ્ય રૂપ આળેખવાને લાયક છે એમ સમ“ જવું. ભાવરોગ મટાડવાની હકીકતને અંગે તેઓ સુસાધ્ય વર્ગમાં આવે તેવા છે એમ જાણવું એટલે જેના ભાગો જલદી નાશ “પામી જવાના છે એવા તે પ્રાણીઓ છે એમ સમજવું. “જે પ્રાણીને એ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયી આપવામાં આવે ત્યારે તેને તે બહુ સારી ન લાગે, જે પ્રાણીઓ એ કષ્ટસાધ્ય. “રત્નત્રયનું આરાધન કરવા તત્પર થયેલા બીજા પ્રા “ણીઓ તરફ આદરવાળી નજરથી ન જુએ, જેઓ “ગુરુ મહારાજના બહુ સખ્ત પ્રયાસ પછીજ કાંઈક બોધ પામે, જેઓ “એ રત્નત્રયરૂપ ઔષધનું સેવન કરે તો પણ બહુ વખત જાય ત્યારે તેને કોઈ ફેરફાર પોતામાં સહેજસાજ બતાવી શકે અને જેઓ અતિચાર – દોષો કેવા છે અને કેમ લાગે છે તેનો સ્પષ્ટ નિર્ણય કર્યા વગરના હોવાથી અવ્યવસ્થિત રીતે કામ કરે તેઓ ભારે કર્યાં છે અને લાંબે કાળે મોક્ષમાં જનારા છે એમ જાણવું અને જેમ મધ્યમ “પ્રકારનું લાકડું રૂપ આળેખવાના સંબંધમાં સારા શિક્ષકની જરૂર બતાવે છે તેમ તેવા પ્રકારના પ્રાણુઓ સદ્ગુરુ તરફથી વારંવાર પ્રેરણું થયા “પછીજ યોગ્યતા પામતા જાય છે એમ સમજવું. ભાવરોગની શાંતિને માટે આવા પ્રકારના પ્રાણીઓને કૃછૂસાધ્ય ( મુકેલીથી ઠેકાણે લાવી શકાય તેવા ) વર્ગના સમજવી. “જે પ્રાણીઓને એ ઔષધના સંબંધમાં કહેલી વાત પર પ્રીતિજ “થતી નથી, જે પ્રાણીઓના સંબંધમાં સેંકડો પ્રયત્ન અસાધ્ય. “કરીને એ ઔષધો આપવામાં આવે તોપણ જેઓ એ ઔષધોને અંગીકાર કરતા નથી અને એ ઔષધ સેવવાનો ઉપદેશ આપનાર ઉપર ઉલટા દ્વેષ કરે છે તેવા મહાપાપી “અભવ્ય પ્રાણીઓ એ રત્નત્રયરૂપ ઔષધને માટે તદન અયોગ્ય ૧ સુખે-વગર મહેનતે આરામ થઈ શકે તેવા પ્રાણીઓ, ૨ જેઓમાં મોક્ષમાં જવાની યોગ્યતા નથી તેવા પ્રાણીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy