SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ નામ પણ જાણતા નથી. ભવિષ્યમાં જેઓનું કલ્યાણ થવાનું હોય છે તેવા ભાવિભદ્ર પ્રાણીઓ જ તેઓનાં કર્મો વિવર આપે તે માર્ગે આ દર્શનને પ્રાપ્ત કરે છે એટલે આ દર્શનાલયમાં સ્વકર્મવિવર દ્વારપાળ તેને પ્રવેશ કરાવે છે. તું આ સીડી પર ચઢયો છે અને તને સ્વકર્મવિવરે અહીં દાખલ કરાવ્યો છે, તેથી તે ભાવથી આ ભગવાનને આ દર્યા છે એમ ધારી શકાય છે. એ ભગવાનને મેળવવાનો અને મેળવ્યા પછી આગળ વધવાનાં અનેક સ્થાનો છે જેના ભેદો તરતમાતાને અંગે પડે છે. તેને વધારે સારું સ્થાન પ્રાપ્ત થાય અને તે પોતે આગળ પ્રગતિ કરે તેને માટે અમારે આ સર્વ પ્રયત્ન છે. હકીકત એમ છે કે પ્રાણીઓ સામાન્ય રીતે એ ભગવાનને કદાચ ઓળખતા હોય છે તેને પણ સદ્ગુરૂ દ્વારા સંપ્રદાયના જ્ઞાન વગર તેને વિશેષ પ્રકારે જાણી શકતા નથી.” આવી રીતે ગુરુ મહારાજ આ જીવ પાસે ભગવાનના ગુણોનું વર્ણન કરે છે, પિતે પણ એ ભગવાનના સેવક છે એમ બતાવે છે, ભગવાનને વિશેષે કરીને નાથ તરીકે સ્વીકારવાનું તેને સમજાવે છે, ભગવાનમાં વિશેષ ગુણો કયા છે તે બતાવીને તે સંબંધી વધારે જ્ઞાન મેળવવા માટે આ પ્રાણીમાં કોતક ઉત્પન્ન કરે છે, ભગવાનના ગુણે જાણવાનો ઉપાય રાગ દ્વેષાદિ ભાવરેગોને ઓછા કરવા તે છે એમ તેને જણાવે છે, એ રાગાદિ ભાવોને ઓછા કરવાના ઉપાય જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રિપુટીરૂપ ત્રણ ઔષધો એમ બતાવે છે, વારંવાર બની શકે તેટલું એ ત્રણે ઔષધનું સેવન કરવું બહુ જરૂરનું છે એમ તેને ઉપદેશ આપે છે, એ ઔષધનું સેવન કરવું (ઉપયોગ કરવો) એ ભગવાનની આરાધના છે એમ નિવેદન કરે છે અને એવી રીતે ભગવાનની આરાધના કરવાથી મહારાજ્યપ્રાપ્તિ જેવી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ પ્રતિપાદન કરે છે. જે ગુણે પ્રાણીએ આદરેલા–સ્વીકારેલા છે તેમાં વિશેષ સ્થિરતા પ્રાપ્ત કરાવવા માટે સૂરિ મહારાજ આ પ્રમાણે હિત વિશેષ સ્થિરતા કરવાના હેતુથી પ્રાણીને કહે છે, પરંતુ જેવી રીતે અને પ્રગતિ. પેલે દરિદ્રી રસાઈઆનું વચન સાંભળીને બોલી ઉઠે છે “સ્વામિન્ ! આપે આટલી બધી વાત કરી તેપણું હજુ હું મારું તુચછ ભજન તજી શકતો નથી. એ સિવાય મારે જે કરવાનું હોય તે આપ મને ઘણી ખુશીથી ફરમાવો” તેવીજ રીતે આ પ્રાણું ચારિત્ર મેહનીય નામના કર્મથી વિહળ થઈને આવી રીતે વિચાર કરે છે. “અહો ! આ ગુરુ મહારાજ મને વારંવાર ધર્મદેશના આપવા મંડી ગયા છે તેમાં જરૂર તેઓને આશય આ મારી પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy