SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] આગળ પ્રગતિ કરાવવાના પ્રયત. ૧૬૯ કરતાં આખરે પિતે પણ નૃપોત્તમ (મહારાજા) થઈ જઈશ. આ તદ્યાને હું ભલામણ કરું છું, તે તને દરરેજ ત્રણે ઔષધે આપતી રહેશે. હવે મારે તને વધારે તે શું કહેવું? પણ તેને ફરી વાર પુનરાવર્તન કરીને કહ્યું છે કે તારે ત્રણે ઔષધનો બરાબર ઉપગ નિરંતર કર્યા કરે.”” આવી રીતે મૂળ કથાપ્રસંગમાં ધર્મબંધકર મંત્રીએ મધુર વચનથી પેલા ભિક્ષુકને બેલા, તેનું મન હર્ષિત કર્યું, તેની પાસે મહારાજના ગુણેનું વર્ણન કર્યું, તે પિતે એ મહારાજાના સેવક છે એમ બતાવ્યું, તે મહારાજાનું દાસપણું સ્વીકારવાને તેને આગ્રહ કર્યો, મહારાજાના વિશેષ ગુણે જાણવાનું તેના મનમાં કુતૂહળ ઉત્પન્ન કર્યું, એ જ્ઞાન ઉત્પન્ન કરવાને હેતુ વ્યાધિઓ ઘટાડવાનું છે તે કહી સંભળાવ્યું, એ વ્યાધિઓ ઘટાડવાનું કારણ ત્રણે ઔષધો છે તે સમજાવી આપ્યું, એ ત્રણે ઔષધોનો વારંવાર ઉપયોગ કરવાની સૂચના કરી, તે ઔષધોને વારંવાર ઉપયોગ કરવાથી મહારાજાની આરાધના થાય છે તે સ્પષ્ટ કર્યું અને એ મહારાજાની આરાધના કરનારાઓને મહારાજા જેવું જ મોટું રાજ્ય મળે છે એમ પ્રતિપાદન કર્યું. આ પ્રાણીએ દેશવિરતિ આદરેલી હોય છે તે અવસ્થામાં ગુરુ મહારાજ તેને તેમાં વિશેષ સ્થિરતા પમાડવા માટે અને તેની પ્રગતિ કરાવવા માટે એજ પ્રમાણે આચરણ કરે છે તે આવી રીત:આ પ્રાણીને ગુરુ મહારાજ કહે છે, “ભાઈ! તે કહ્યું કે “તમેજ મારા નાથ છે તે બેલવું તારા જેવાને માટે તે આરાધના અને ઉચિત છે ( કારણ કે તું ઉપકારના બદલામાં એમ મહારાજ્ય પ્રાપ્તિ, બેલતો હોઈશ), પણ સાધારણ રીતે એ પ્રમાણે બોલવું ન જોઈએ; કારણ કે મારા અને તારા પરમ નાથ તે સર્વજ્ઞ ભગવાન છે. ત્રણ ભુવનમાં રહેલા સર્વ સ્થાવર (સ્થિર) અને ત્રસ (૨૨) જંતુઓનું પ્રતિપાલન કરતા હોવાથી સર્વના નાથ થવાને તે સર્વજ્ઞ મહારાજાજ યોગ્ય છે, વળી એમાં પણ જે પ્રાગીઓ એ સવૅર મહારાજના બતાવેલા જ્ઞાન દર્શન ચારિત્ર પ્રધાન દર્શનમાં વર્તતા હોય છે તેઓના એ મહારાજા ખાસ કરીને નાથ છે. કેટલાએક મહાત્મા પ્રાણીઓ એ મહારાજાનું દાસપણું સ્વીકારીને કેવળજ્ઞાનરૂપ રાજ્ય પ્રાપ્ત કરી આ આખા ભુવનને પોતાના દાસ બનાવે છે એટલે આ સંસાર તેવા મહાત્માઓનો સેવક બની જાય છે. બાકી જે પાપી પ્રાણુઓ હોય છે તેઓ તે આ મહારાજાનું ૧ સંપૂર્ણ જ્ઞાન, સર્વજ્ઞાપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy