SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ભોજન તેને આપીએ, પછી જ્યારે તેને આ સુંદર ભજનનો રસ લાગશે ત્યારે તે પોતાની મેળે જ પેલા ખરાબ ભજનો ત્યાગ કરી દેશે. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને ધર્મબંધકર મંત્રીશ્વરે તેને કહ્યું “ભાઈ ! તારું ભોજન તારી પાસે રહેવા દઈને આ સુંદર ભજન હાલ તું લે અને તેનું ભક્ષણ કર.” દરિદ્રીએ જવાબ આપો “ભલે, તેમ કરીશ.” આવો તેનો જવાબ સાંભળીને ધર્મબધકરે તયાને સંસા કરી એટલે તેણીએ દરિદ્રીને ભોજન આપ્યું. તે ભોજન દરિદ્વીએ તુરત ગ્રહણ કર્યું અને ત્યાં બેઠા બેઠાજ તેનું ભક્ષણ કર્યું. આ ભજન કરવાથી તેની ક્ષુધા શાંત થઈ ગઈ, તેના શરીર ઉપર અનેક વ્યાધિઓ થયા હતા તે લગભગ નાશ પામવા જેવા થઈ ગયા. અગાઉ આંખમાં અંજન આંજવાથી અને પાણી પીવાથી જે સુખ તેને થયું હતું તેના કરતાં હજાર ગણું સુખ આ સુંદર ભેજન કરવાથી તે નિપુણ્યક દરિદ્રીને થયું. આ પ્રમાણે થવાથી તે દરિદ્રીને ધર્મબોધકર મંત્રી ઉપર ભક્તિ ઉત્પન્ન થઈ, તેના મનમાં જે શંકા હતી તે દૂર થઈ ગઈ અને તે હર્ષ પામીને બાલ્યો “હું ભાગ્યહીન છું, સર્વ પ્રાણી કરતાં ઘણે અધમ છું અને આપના ઉપર કઈ પણ પ્રકારને મેં ઉપકાર કર્યો નથી છતાં આપ મારા ઉપર આટલી બધી દયા દેખાડે છે તેથી તમારા સિવાય હે પ્ર ! મારે બીજે કઈ નાથ નથી. ?? ?? આ પ્રાણું ચારિત્ર ગ્રહણ કરે એટલે ગુરુ પાસેથી પરમાર ગ્રહણ કરે તેને ક્રમ આવા પ્રકારના હોય છે તે સર્વવિરતિ આપણે વિચારીએ-જ્યારે આ જીવને બહુ પ્રકારે વિ. ઉપદેશ આપવા છતાં તે બદ્ધઆગ્રહપણાને લીધે દેશવિરતિ, ધન વિષયાદિને ત્યાગ કરી શકતા નથી ત્યારે ધમ ચાર્ય તેના સંબંધમાં વિચાર કરે છે કે આ પ્રાણું હાલ તુરત સર્વવિરતિ ગ્રહણ કરી ધન વિષયાદિનો સર્વથા ત્યાગ કરી દે એમ તે લાગતું નથી, માટે એને હાલ દેશવિરતિ (અમુક અંશે ત્યાગભાવ) આપીએ. એને (દેશવિરતિને) પાળવાથી તે પ્રાણુમાં વિશેષ ગુણે ઉત્પન્ન થશે અને ત્યાગભાવની મહત્તા તે સમજશે એટલે પછી પોતાની મેળેજ સર્વસંગનો ત્યાગ કરી દઇ તે સર્વવિરતિ અંગીકાર કરશે. આ પ્રમાણે લંબાણથી દીર્ધ દૃષ્ટિપૂવૅક વિચાર કરીને આ પ્રાણું બહાનું કાઢી છટકી ન જાય તેટલા સારૂ તેને દેશવિરતિ ગુરુ મહારાજ આપે છે. (મહાવ્રતને સર્વવિરતિ કહેવામાં આવે છે જેમાં સર્વેથા ત્યાગ કરવામાં આવે છે; જ્યારે અણુવ્રતને દેશવિરતિ કહેવિામાં આવે છે જેમાં થોડો થોડે ત્યાગભાવ સર્વ વ્રતને અંગે હોય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy