SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] સત્યાગ પ્રથમ, વિમુખ ને દેશથી ત્યાગ. ૧૬૭ અહીં ઉપદેશ દેવાને કમ આ પ્રમાણે છે-સર્વથી પહેલાં તો સર્વવિરતિને ઉપદેશ આપ, પરંતુ જ્યારે એમ ઉપદેશ- માલૂમ પડે કે આ પ્રાણુ સર્વવિરતિ ગ્રહણ કરને ક્રમ. વાથી પરામુખ (વિમુખ) છે, તેને તે ગ્રહણ કરવાનું અને સર્વથા ત્યાગ કરવાનું મન થતું નથી ત્યારે તેને દેશવિરતિનો ઉપદેશ આપવો અને તે તેને આપવી. જે શરૂઆતમાં પહેલેથી જ દેશવિરતિને ઉપદેશ આપવામાં આવે તે આ પ્રાણુ તેમાં પ્રતિબંધ કરી દે અને તેમાં રક્ત થઈ જાય અને ગુરુ મહારાજ સૂક્ષ્મ (સ્થાવર) પ્રાણીઓના નાશના સંબંધમાં સંમતિ આપે છે તે તેને ખ્યાલ બેસી જાય. વળી આ પ્રાણીને જે જરા લાગ મળે તે તેને છટકી જવાની ટેવ હોય છે તેથી છટકી પણ જાય, માટે શરૂઆતમાં સર્વવિરતિનો બોધ આપો અને તે લેવાને શતિમાન ન હોય તો પછી દેશવિરતિને ઉપદેશ આપવો. આવી રીતે કરવાથી આ પ્રાણું દેશવિરતિ આદરે છે તે થોડું થોડું પરમાન્નસુંદર ભજન ભક્ષણ કરે છે તેની બરાબર સમજવું. એ થોડા ભેજનનો ઉપયોગ કરવાથી આ પ્રાણીને વિષયભોગો ભેગવવા સંબંધી જે તીવ્ર સુધા રહેતી હતી તે જરા શાંત થાય છે, રાગ વિગેરે ભાવરેગો કાંઈક ઓછા થાય છે, જ્ઞાન દર્શનની પ્રાપ્તિથી જે સુખ થયું હતું તે કરતાં અત્યંત વધારે સ્વાભાવિક શાંતિરૂપ પ્રશમસુખ હવે તેને બહુ સારી રીતે ઉત્પન્ન થાય છે, સારી ભાવનાના યોગથી મનમાં આનંદ આનંદ થઈ જાય છે, આવી સુંદર દેશવિરતિ બતાવનાર ગુરુ મહારાજ પોતાની ઉપર ઘણે મોટો ઉપકાર કરનાર છે એવી ભાવનાને લઈને તેના ઉપર તેને ભક્તિભાવ ઉત્પન્ન થાય છે અને તેથી આ પ્રાણુ ગુરુ મહારાજને કહે છે “આપજ મારા ખરેખરા નાથ છે. હું દુષ્ટ કાષ્ટ જે તદ્દન નાલાયક હોવા છતાં આપે પોતાના જોરથી મને લાયક બનાવીને ગુણેનું પણ ભાજન કર્યો, તેથી આપને જેટલે આ ભાર માનું એટલે ઓછા છે.” ઔષધસેવનને ઉપદેશ. ત્યારપછી કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું તે હવે વિચારીએ. “તેને (ભિખારીને) આ પ્રમાણે બેલતો સાંભળીને ધર્મ ૧ જ્ઞાન દર્શનથી થતાં સુખ કરતાં પણ ચારિત્રથી વધારે આત્મસુખ થાય છે, કારણ કે તેમાં આમરમતા છે. ૨ જુઓ પૃષ્ઠ ૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy