SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] ચારિત્રના લાભે છતાં શરતપૂર્વક સ્વીકાર. ૧૬૫ પુરુષો અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગો (અન્ય તરફથી અનુકૂળ પ્રતિકૂળ સંસાર તરફ ખેંચનારાં વિરૂદ્ધ વર્તન) ઉત્પન્ન થાય “તેને સહન કરે છે, ધનાદિનો તિરસ્કાર કરે છે, રાગ દ્વેષ વિગેરેને દળી નાખે છે, કર્મની જાળને ઉખેડી નાખે છે, સંસાર સમુદ્રને તરી જાય છે અને અનંત કાળ સુધી સતત આનંદવાળા મેક્ષસ્થાનમાં નિવાસ કરે છે. વળી જે જ્ઞાન મેં તને આપ્યું તેને લીધે શું તારા અજ્ઞાનને “અંધકાર દૂર થઈ ગયો નથી? મેં જે દર્શન તને બતાવ્યું તેને લઈને “તારા વિપર્યાસ (સાચા ખોટા વિચારો-મિથ્યાત્વ)રૂપ દૈત્યનો નાશ “થઈ ગયે નથી? ત્યારે હવે તું શા માટે મારાં વચન ઉપર જરા પણુ અવિશ્વાસ લાવે છે? તને લાભ તે સ્પષ્ટ રીતે બતાવી આપે છે અને તે લાભ તને નિરંતર મળ્યા કરશે તે તને બરાબર સમ“જાવી પણ આપ્યું છે, માટે હે ભદ્ર! આ સંસારને વધારનાર ધન “સ્ત્રી વિષય વિગેરેને છોડી દે અને મારી દયાએ (દીકરીએ) લાવેલું આ પરમાન્ન (ચારિત્ર) ગ્રહણ કર, એ પ્રમાણે કરવાથી તારા સર્વ “કલેશે નાશ પામી જશે, કપાઈ જશે, હમેશને માટે દૂર થઈ જશે અને તું શાશ્વત સ્થાનમાં જઈને નિવાસ કરી શકીશ.” શરત અને સ્વીકાર “ધર્મબેધકાર મંત્રીએ આટલો લંબાણ ખુલાસો કર્યો તે સાંભળીને નિપુણ્યકે જવાબ આપે “ભટ્ટારક મહારાજ ! મને મારા ભેજન ઉપર એટલે બધા એહ છે કે તેનો ત્યાગ કરવા માત્રથી તેના પ્રેમના ગાંડપણમાં હું મરી જઈશ એમ મને લાગે છે, માટે મહારાજ ! આ ભેજન મારી પાસે રહેવા દઈને આપ મને આપનું ભેજન આપે.” ” આ પ્રમાણે મૂળ કથાપ્રકરણમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે આ પ્રાણીને ગુરુ મહારાજ વારંવાર પ્રેરણું કરે છે ત્યારે ગળીઆ બળદની જેમ પગ પસારીને તે ગુરુને ઉત્તર આપે છે “મહારાજ ! મારાં ધન વિષયાદિક છે તેને હું કઈ રીતે છેડી શકું તેમ નથી, તેથી આ મારા ધન વિષયાદિક મારી પાસે રહે અને તમારૂં કોઈ પ્રકારનું ચારિત્ર અને અપાય તેવું હોય તે તે આપ.” ત્યારપછી આગળ કહેવામાં આવ્યું છે કે “તેને આ પ્રમાણે અત્યંત આગ્રહ જોઈને ધર્મબોધકરે મનમાં વિચાર ભેજન કર્યો કે આ બિચારાને સમજણ આપવાનો હાલ તે ગ્રહણ, બીજો કોઈ ઉપાય નથી, માટે તે તેનું ખરાબ ભેજન તેની પાસે ભલે રાખે અને આ આપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy