SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ “ત્યાગ કરવા યોગ્ય છે. હે ભદ્ર! મોહને લીધે તારૂં મન અત્યારે ફરી ગયેલું છે તેથી તે વિષય બહુ સારા છે એવી તારી બુદ્ધિ થાય છે, પરંતુ જ્યારે તું એક વાર ચારિત્રનો રસ ચાખીશ ત્યારે તો અમારા “કહ્યા વગરજ તું એ ધન વિષયની જરા પણ સ્પૃહા-ઈચ્છા કરીશ “નહિ. દિ સજોડકૃતં વિશ્વ વિષમમિતિ મતલબ એ કેણ “બુદ્ધિમાન પ્રાણી હોય કે જે અમૃતને ત્યાગ કરીને ઝેરની ઇચ્છા “કરે ! અમે જે ચારિત્રપરિણામનો ઉપદેશ આપીએ છીએ તે તને કઈ કઈ વાર જ પ્રાપ્ત થનાર હોવાથી તેના ઉપર તારે નિર્વાહ થઈ “ શકશે નહિ એમ તું ધારે છે અને ધન વિષય સ્ત્રી વિગેરે પ્રકૃતિ ભાવમાં રહેનાર હોવાથી હમેશાં તારી પાસે રહેનારાં છે તેથી તેના “વડે તારો નિર્વાહ થઈ શકશે એમ હું માને છે તે પણ બરાબર નથી, “કારણ કે ધન સ્ત્રી વિષયો વિગેરે પણ ધર્મ રહિત પ્રાણુઓની પાસે “સર્વદા રહેતાં નથી અને કદાચ રહે તેપણુ બુદ્ધિમાન પુરુષ એને પિતાનો નિર્વાહ કરનાર તરીકે કદાપિ સ્વીકારે નહિ, કેમકે સર્વ પ્રકારના રોગોને વધારી દેનાર અપથ્ય ભેજન હોય તે કદાચ સર્વ “કાળ પ્રાપ્ત થયાં કરે તો પણ તે નિર્વાહ કરનાર છે એમ કઈ માને નહિ. આ ધન સ્ત્રી વિષયો વિગેરે જેના ઉપર તારી આટલી બધી “પ્રીતિ છે તે સર્વ અનર્થપરંપરાનાં કારણ છે, માટે તે સુંદર છે કે “તારે નિર્વાહ કરનારાં છે એવો વિચાર તેઓના સંબંધમાં લાવવો “ઘટતો નથી. વળી તું એમ કહે છે કે તે ધન વિષયાદિ પ્રકૃતિભા“વમાં રહેનારાં છે તે પણ તારી માન્યતા તદ્દન બેટી છે. આ પ્રાણી “અનંત જ્ઞાન દર્શન વીર્ય આનંદરૂપ છે, તેથી જ્ઞાન દર્શન વિગેરે તેની “સ્વાભાવિક પ્રકૃતિ છે અને આ ધન સ્ત્રી વિષય વિગેરે ઉપર જે રાગ થાય છે, તેના તરફ આકર્ષણ થાય છે અને તેમાં આ પ્રાણી બંધાઈ રહે છે તે તે માત્ર કર્મને લીધે થયેલા વિભ્રમ (વિભાવ)નું પરિ“ણુમ છે એ પ્રમાણે તત્ત્વજ્ઞાનીઓ કહે છે. ચારિત્રનાં પરિણામ આ પ્રાણીને થાય છે તે કઈ કઈ વખત થનાર તરીકે (અલ્પ “કાલીન) માત્ર ત્યાંસુધી જ રહે છે કે જ્યાં સુધી વિષય વિ. “આ પ્રાણું પિતાના વીર્ય (શક્તિ)ને ફેરવતો નથી, ચારિત્રભાવ. “એક વખત વીર્યસ્કૂરણે આ પ્રાણીએ કરી એટલે ચારિત્રપરિણમ દીર્ઘ કાળ સુધી નિરંતર બન્યાં બન્યાં રહે છે અને તેજ આ પ્રાણીને ખરેખર નિર્વાહ કરનાર થાય છે. આટલા માટે ડાહ્યા માણસોએ તે એ ચારિત્રપરિણામને માટે જ “પ્રયત્ન કરવો ઉચિત છે. એ ચારિત્રપરિણુમના બળથીજ મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy