SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] વિશ્વાસ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ. ૧૬૩ રાખી શકીશ? ( રાખી શકીશ નહિ). વળી તે કહ્યું કે “આ મારૂં સુંદર ભેજન તને આપવામાં આવે છે તે કેવું છે તે તું જાણતો નથી તે બાબતમાં હું તને ખુલાસો કહું છું તે બરાબર ધ્યાન રાખીને વિશ્વાસ લાવીને સાંભળઃ તને કઈ પણ જાતને કલેશ ન થાય તેવી રીતે હમેશાં તારી જેટલી ઈચ્છા હશે તેટલું આ સુંદર ભેજને હું તને આપ્યા કરીશ, માટે તું જરા પણ મુંઝવણ રાખ્યા સિવાય આ પરમાન્નને ગ્રહણ કર. આ સુંદર ભજન તારાં સર્વ દરદોને મૂળમાંથી દૂર કરી નાખે તેવું છે અને તે ઉપરાંત તે શરીરને અને મનને સંતોષ આપે છે, પુષ્ટ કરે છે, બળ વધારે છે, શરીરનો વર્ણ સુધારે છે અને વીયૅમાં વૃદ્ધિ કરે છે. એ ભજન સારી રીતે ખાવાથી અનંત આનંદથી ભરપૂર થઈ અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરી જેવી રીતે અમારા રાજા સુસ્થિત મહારાજ સુખમાં રમણ કરે છે તેવી રીતે તેના જે તું પણ થઈ જઈશ, તેટલા માટે હે ભદ્ર! તું આગ્રહ તજી દઈને તારું ભજન જે અનેક રોગોનું કારણ છે તેને છોડી દે, તજી દે, મૂકી દે અને આ પરમ ઔષધ જેવું મહા આનંદનું કારણ સુંદર ભજન લે, ગ્રહણ કર અને તેનો ઉપયોગ કર.” ” આવી રીતે રસવતીપતિએ ખરાબ ભેજનના દોષો તે નિપુણ્યકને સમજાવ્યા, તે તજવા ગ્ય છે એ વાત સ્પષ્ટ કરી બતાવી, કાળાંતરે એ ભેજન ઉપર તેને નિર્વાહ થવાનો છે એવી તેની જે માન્યતા હતી તે ખોટી હતી એમ બતાવી આપ્યું, પોતાની પાસેના સુંદર ભેજનનાં વખાણું ક્ય, તે આ પ્રાણીને દરરોજ મળ્યા કરશે એમ જણુવી દીધું અને અગાઉ તેને જળ અને અંજનથી કેવો ફાયદો કર્યો હતો તેનો દાખલો. આપી છેવટે કુજન છોડી દેવાનો અને પોતાનું સુંદર ભેજન લેવાને આગ્રહ કર્યો. વિશુદ્ધ ધર્મને ઉપદેશ આપનાર ગુરુ મહારાજ પણ આ જીવના સંબંધમાં એવીજ રીતે કામ લે છે તે હવે આપણે જોઈએ. ગુરુ મહારાજ પણ ધન વિષય સ્ત્રી વિગેરે રાગનાં કારણ છે એમ નિવેદન કરે છે, કર્મ સંચય થવાનું કારણ છે એમ ચારિત્ર રસના તેને સમજાવે છે, દુઃખે કરીને પાર પહોંચી શકાય સ્વાદનું વર્ણન. તેવા અનંત સંસારનાં તે નિમિત્ત કારણ છે એમ સ્પષ્ટ કરે છે અને પછી તેને કહે છે “ભદ્ર! ધન “વિષય વિગેરે કલેશથી મેળવાય છે, એને અનુભવ કરતી વખતેતેને બેગ ભેગવતી વખતે અનેક પ્રકારને કલેશ થાય છે અને ભવિષ્યમાં તે અનેક કલેશ ઉત્પન્ન કરે છે-આ પ્રમાણે ધન વિષયથી “આગળ અને પાછળ સર્વ રીતે અનેક પ્રકારના કલેશ થતા હોવાથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy