SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ . ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ કહેવાય, માટે હજુ પણ સર્વ પ્રકારનો પ્રયત્ન કરી સુંદર વચનથી આ પ્રાણીને સમજાવીને તેને મારા ઉપર વિશ્વાસ પમાડી બંધ કરૂં અને સુંદર માર્ગ બતાવી તેનું સ્વરૂપ, ફળ અને આદેયતા સમજાવીને તેને માર્ગ પર લઈ આવું.” આ પ્રમાણે ગુરુ મહારાજ પિતાના મનમાં વિચાર કરે છે. કથાપ્રસંગમાં ત્યારપછી કહેવામાં આવ્યું હતું કે આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને ધર્મબોધકર મંત્રીએક વિશેષ શ્વરે ભિખારી નિપુણ્યકને કહ્યું “અરે ભાઈ! તું મહા પ્રયત. એટલું પણ જતો નથી કે આ તારે શરીરે હજારે વ્યાધિઓ છે તે સર્વ તારી પાસેના તુચ્છ ભજનના સંબંધથી થયેલા છે? તારી પાસે જે ભેજન છે તેને વધારે ખાવામાં આવે તો તેથી તારા સર્વ વ્યાધિઓ એકદમ વધી જાય તેમ છે, તેથી સારી બુદ્ધિવાળા પ્રાણીઓએ તેનો એકદમ ત્યાગ કરી દેવો જોઈએ. તારા ભેજન ઉપર તને અત્યારે પ્રેમ આવે છે અને તેને તું સારું ગણે છે, પણ તેમાં તારી મોટી ભૂલ થાય છે; તને વસ્તુ અત્યારે ઉલટી સમજાય છે તેથી તું એમ માને છે; પરંતુ જ્યારે મારા ભોજનને એક વાર બરાબર તત્ત્વથી તું સ્વાદ લઇશ ત્યારે તને અટકાવવામાં આવશે તોપણ તારી પોતાની ઈચછાથી આ તારું ભોજન તું તજી દઈશ. અમૃત પ્રાપ્ત કરીને પછી તે કણ એ મૂર્ખ હોય કે જે ઝેર પીવાની ઇચ્છા કરે? વળી હું તને પૂછું છું કે તે મારા અંજનની શક્તિ અને પાણીનો મહિમા શું હમણાં જ જોયાં નથી? છતાં તને મારાં વચન ઉપર પૂરો વિશ્વાસ કેમ નથી આવતો? તું એમ કહે છે કે “તે ભોજન તે બહુ મહેનતે મેળવ્યું છે તેથી તારાથી તેને ત્યાગ કરી શકાય તેમ નથી તેના સંબંધમાં તને ખુલાસે કરું છું તે ધ્યાન રાખીને સાંભળ. એ ભજનને મેળવવામાં બહુ કલેશ થાય છે, એ પોતે કલેશરૂપ છે અને એનાથી ભવિષ્યમાં પણ અનેક પ્રકારના કલેશ ઉત્પન્ન થાય છે, તેટલા માટે જ તેનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. તે ત્યારપછી એમ કહ્યું કે “ભવિષ્યમાં તારે તેના ઉપર નિર્વાહ છે તેથી હું તેનો ત્યાગ કરી શકતો નથી તેનો ખુલાસો પણ મનની ઘુએ છેડી દઈને સાંભળ. એ ભવિષ્યમાં અનેક દુઃખોને નિવહ કરે તેવું ભોજન છે, તેથી કદાચ તું માને છે તેમ તેના ઉપર તારે ભવિષ્યનો આધાર હોય તોપણ દુઃખમાં ડૂબેલે તું તેને સર્વદા ૧ જુઓ પૃષ્ઠ ૨૮, પંક્તિ ૩ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy