SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૧ આગ્રહજ હોય તો મારાં ધન વિષય વિગેરે મારી પાસે છે તે રહે અને આપનું ચારિત્ર આપ મને આપી શકતા હૈા તા આપેા, નહિ તે મારે આપના ચારિત્રથી સર્યું ! કાંઇ નહિ, તેના વગર હું ચલાવી લઇશ.” પ્રતીતિ માટે દૃઢ પ્રયત્ન, ' પ્રાણીએ-આ જીવે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે વિશુદ્ધ હિતકારી સુંદર ભાજન ગ્રહણુ કરવાના સંબંધમાં આ પ્રાણીને વિમુખ ( બેદરકાર ) જાણીને કથાપ્રસંગમાં ધર્મએધકરને ત્યારપછી આપણે વિચાર કરતા ોઇએ છીએ. તેઓ વિચારે છે કે ' અહે। ! અર્ચિત્ય શક્તિવાળા મહામેાહની ચેષ્ટા તે જુએ ! એ બિચારા દ્રમક સર્વ વ્યાધિ કરનાર પોતાના તુચ્છ ભાજનમાં એટલા બધા આસક્ત થઇ ગયા છે કે તેના મનમાં મારા ઉત્તમ ભોજનની એક તૃણ જેટલી પણ કિંમત કરતા નથી, છતાં હજુ પણ બની શકે એટલાં એ આપડા રાંક જીવને શિક્ષાવચન કહી સંભળાવું; કદાચ એના માહ એથી નાશ પામશે કે આછે થશે તે। એ આપડાનું હિત થશે.' વિશુદ્ધ ધર્મના ઉપદેશ કરનાર ગુરુ મહારાજ પણ આ પ્રાણીના સંબંધમાં એવાજ પ્રકારના વિચાર કરે છે. તેઓ વિચારે છે, ‘અહા ! આ પ્રાણીના મહામેહ તેા કોઇ અપૂર્વ પ્રકારના જણાય છે! એ મહામેાહના પ્રતાપથી અનંત દુ:ખના હેતુભૂત અને રાગાદિ ભાવ રાગને વધારી મૂકનાર ધનાદિ વિષય ઉપર પેાતાનું મન સ્થાપિત કરી દઇને ભગવાનનાં વચનાને જાણતા છતાં એક તદ્દન અજાણ્યા પ્રાણીની પેઠે તે વર્તે છે, જીવ અજીવાદિ તત્ત્વ ઉપર તેને શ્રદ્ધા થયેલી હાવા છતાં એક નાસ્તિકની પેઠે આચરણ કરે છે અને તેને લઇને સર્વ દોષ અને ક્લેશના નાશ કરનાર મારી બતાવેલી વિરતિને ગ્રહણ કરતા નથી, આદર કરતા નથી, તેના ઉપર પ્રીતિ કરતા નથી; પરંતુ વધારે વિચાર કરતાં મને જણાય છે કે એમાં આ બાપડાનેા કાંઇ દોષ નથી, સર્વ દોષ તેનાં કર્મોના છે. એ કર્યો આ જીવના સારા અધ્યવસાયાને છિન્ન ભિન્ન કરી નાખે છે. હું તે તેને પ્રતિધ આપી ઠેકાણે લાવવાના કામમાં જોડાયલા છું અને તે તેને લાભ લઇ શકતા નથી તેથી એ પ્રાણી કાંઇ વિરતિ અંગીકાર કરવાના નથી એમ ધારી લઇને મારે તેના તરફ વિરક્ત થઇ જવું ન જોઇએ-એના સંબંધના પ્રયત્ન છોડી દેવા ન જોઇએ.’ ઉપદેશકની માનસિક સ્થિરતા, Jain Education International अनेकशः कृता कुर्याद्देशना जीवयोग्यताम् ॥ यथावस्थानमाधत्ते, शिलायामपि मृद्घटः ॥ १ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy