SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સીમંધ ] સંસારરસિકના આંતર ભાવે. ૧૫૯ આ પ્રાણીને ચારિત્ર આદરવાનાં પરિણામ હોય છે તેાપણુ કર્મને પરવશ હેાવાથી ગુરુ મહારાજ પાસે ઉપર કહ્યું તેવીજ રીતે તે બાલે છે. તેને ગુરુ મહારાજ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હાય છે અને જ્ઞાન દર્શનથી કેટલેા લાભ છે તે સંબંધમાં તેને પૂર્ણ પ્રતીતિ પણ થયેલી હાય છે, પરંતુ ત્યાંસુધી તેને ધન સ્ત્રી વિગેરે ઉપરની મૂર્છા જરા પણ ઓછી થયેલી હાતી નથી અને ગુરુ મહારાજ તેા તેને એકદમ ધન શ્રી આદિ તેણે પેાતાની માનેલી વસ્તુઓના ત્યાગ કરવાનું અને ચારિત્ર ગ્રહણ કરવાનું કહે છે તે વખતે આ પ્રાણી એકદમ ગરીબ-રાંક જેવા બની જાય છે અને ગુરુ મહારાજને કહે છે, “ આપ સાહેબ જે આજ્ઞા કરે છેજે વાત ફરમાવા છે તે બરાબર છે, પરંતુ મારે આપ સાહેબને એક નાની સરખી વિનતિ કરવી છે તે આપ જરા સાંભળવાની મહેરબાની કરો. મારો આત્મા ધન વિષયની બાબતમાં અત્યંત ગાઢ થઇ ગયા છે, તેમાં અત્યંત આસક્ત બની ગયા છે, અને તેમાંથી નિવર્તવાનું કાઇ પણ રીતે બની શકે તેમ નથી. એ ધન વિષયના ત્યાગથી તે હું મરી જ! એ ધન વિષયા તે મહારાજ ! મેં બહુ મહેનત કરીને એકઠાં કર્યાં છે, એને સંપાદન કરવામાં મારે કંઇ કંઇ જાતનાં કષ્ટ વેઠવાં પડ્યાં છે તે હવે અકાળે તેને તે સાહેબ ! કેવી રીતે ત્યાગ કરી શકું ? મારા જેવા પ્રમાદી પ્રાણીએ આપે બતાવેલી વિરતિનું સ્વરૂપ કદિ અરાબર સમજતા નથી. બીજી પણ એક વાત આપને કહું: આ ધન વિષયે વિગેરે આજે મેળવી રાખ્યાં હાય તા મારા જેવાને આગળ ભવિષ્યમાં પણ ચિત્તને આનંદ આપવાનું કારણ થઇ પડે અને આપ સાહેબ જે અનુષ્કાના ફરમાવા છે તે તે। ‘ રાધાવેદ ’ ની પેઠે મેળવવાં અત્યંત મુશ્કેલ છે, તેથી આપ મારા જેવા ઉપર આટલા બધા પ્રયાસ કરો છે તે અસ્થાને હોય એમ મને તેા લાગે છે. કહ્યું છે કે ભાગાસક્તની ટૂંક વિજ્ઞિ महतापि प्रयत्नेन तत्त्वे शिष्टेऽपि पण्डितैः, प्रकृतिं यान्ति भूतानि, प्रयासस्तेषु निष्फलः । પંડિતો દ્વારા મોટા પ્રયત્નથી પ્રાણીએ તત્ત્વ જાણ્યું હોય તાપણુ પ્રાણી પેાતાની પ્રકૃતિ તરફ ખેંચાઇ જાય છે અર્થાત્ પોતાની પ્રકૃતિ છેડતા નથી, જેવા હાય તેવા ને તેવા રહે છે. આવા પ્રાણીના સંબંધમાં જે કાંઇ પ્રયન કરવામાં આવે તે સર્વ નિષ્ફળ છે.' આ પ્રમાણે હકીકત છે, છતાં આપ સાહેબને મને વિરતિ-ચારિત્ર આપવાના ખાસ ૧ પ્રતમાં આ પ્રમાણે પ્રથમ પંક્તિ છેઃ મતાપિ પ્રયયેન, તત્ત્વે કઽપિ fd-1 / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy