SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] કર્તવ્ય સૂચવન-વિરતિ માટે પ્રેરણા. ૧૫૭ શાસનમાં દાખલ થયે છે, તેથી અમે તારા તરફ આટલું ધ્યાન ખારા કરીને આપીએ છીએ. પ્રથમ તો ભગવાનને મત પહેલી વાર તે જોયો ત્યારે તારા મનમાં આનંદ થયો હતો, તે ભગવાનના મતનું દર્શન કરતો હતો ત્યારે ભગવાનની દષ્ટિ તારા ઉપર પડી એમ અમે “જોયું હતું અને તેથી અમને જ્યારે એમ જણાયું કે ભગવાનની આના “ઉપર કૃપા થઈ છે ત્યારે અમને પણ તારી ઉપર આદર છે. ભગ“વાનના સેવકોએ જે પ્રાણી ભગવાનને વહાલા હેય તેના તરફ “પ્રેમ રાખે એ ઉચિત છે, જે પ્રાણીઓ અત્યાર સુધી સર્વજ્ઞશાસન“રૂપ મંદિરમાં દાખલ થયા નથી અને જે કંઈ પણ પ્રકારે દાખલ થઈ ગયા હોય પણ અંદર આવ્યા પછી જેઓને મંદિરના દર્શનથી આનંદ થતો નથી અને તેથીજ એવા પ્રાણીઓ ઉપર ભગવાનની કૃપાદૃષ્ટિ થઈ હોય એમ અમને જણાતું નથી એવા પ્રાણીઓને અમે “દેખીએ છીએ તોપણ તેઓ તરફ ઉદાસીન ભાવ રાખીએ છીએ એટલે એવા પ્રાણીઓનાં કર્મ માટે અને તેઓની અધમ સ્થિતિ માટે અમે દિલગીર થઈએ છીએ-એવા પ્રાણીઓ અમારા આદરને કઈ “પણ રીતે ગ્ય નથી. અમારા મનમાં આ બાબતમાં અત્યાર સુધી “વિશ્વાસ હતો અને સારા માર્ગે લઈ જવા યોગ્ય જીવો કયા કયા છે તેનો આ ઉપાયથી અમે નિર્ણય કરતા હતા. અમે આ પરીક્ષા કરવાને “ઉપાય અત્યારે અગાઉ બહુ પ્રાણીઓ ઉપર અજમાવ્યો હતો, પરંતુ તે “નિયમમાં અત્યાર સુધી જરા પણ વાંધે આવ્યો નહોતો. આવી રીતે “તપાસ કરીને પ્રયોગ કરીને નિર્ણય કરેલે અમારે ઉપાય તું ઉલટા પ્રકારનું આચરણ કરીને ખોટો પાડે છે. પરીક્ષા કરીને નિર્ણય કરવાની “અમારી રીતિ જે સર્વત્ર એક સરખી સાચી માલૂમ પડી છે તે તારા “સંબંધમાં ખોટી પડે છે, તો હે દુર્મતિ! તું એ પ્રમાણે કર નહિ; હજુ પણ હું તને કહું છું તે પ્રમાણે કરઃ આ તારું ખરાબ વર્તન તજી દે, દુર્ગતિ નગરીના માર્ગ જેવી અવિરતિનો ત્યાગ કર, અને એક સરખું આનંદ આપનારી સર્વજ્ઞ મહારાજે બતાવેલી સમ્યજ્ઞાન દર્શનનું ફળ આપનારી વિરતિને ગ્રહણ કર. એ પ્રમાણે તું નહિ કરીશ તો તારાં જ્ઞાન દર્શન પણ નિષ્ફળ થશે, કારણ કે જ્ઞાન અને દર્શનનું ફળ વિરતિત્યાગભાવ છે અને ચારિત્ર વગર-વિરતિભાવ આદર્યા વગર એકલા “જ્ઞાન દર્શનથી મોક્ષ મળી શકતું નથી. ભગવાન્ તીર્થકર દેવે બતાવેલી “આ વિરતિને આદરવાથી અને સમ્યક પ્રકારે તેનું પરિપાલન કરવાથી તે સર્વ કલ્યાણપરંપરાને આપનાર થાય છે અને પરલોકમાં એ વિ“રતિભાવ ગ્રહણ કરવાથી લાભ થાય છે તે વાતને હાલ કદાચ બાજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy