SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ આ પ્રાણીમાં રહેલ જ્ઞાન અને દર્શન પ્રગટ થયા પછી પણ જ્યારે કર્મની સત્તા તળે પિતે દબાઈ ગયેલ હોવાથી એક ગુરુને સ્નેહ, લગાર માત્ર પણ ત્યાગભાવ (વિરતિ ) કરી શકતો પૂર્વક ક્રોધ. નથી ત્યારે તેને ગુરુ મહારાજ એવી સ્થિતિમાં આવી પડેલે અને વિષયભોગમાં આનંદ પામતો જોઈ પિતાના મનમાં વિચાર કરે છે કે “અહો ! આત્માની સાથે આ પ્રાણીનું કેવું દુશ્મનપણું છે ! રનદ્વીપમાં કેઇ ભાગ્ય વગરનો પુરુષ ગો હોય અને જેમ અમૂલ્ય રતે તેને મળતાં હોય તેને સ્વીકાર ન કરતાં કાચના કટકા લઈને પાછો આવે તેમ આ પ્રાણીને અમૂલ્ય રત જેવાં વ્રત નિયમ મળી આવ્યાં છે તેની અવગણના કરીને તૂટેલા કાચના કટકા જેવા વિષયભોગ ઉપર તે પ્રેમ લાવે છે અને તેનો સ્વીકાર કરે છે !” આવા વિચારથી પ્રમાદ કરનાર આ પ્રાણી ઉપર ગુરુ મહારાજને સ્નેહપૂર્વક ક્રોધ થઈ આવ્યું હોય તેમ તેને કહે છે “અરે “જ્ઞાન દર્શનને દોષ લગાડનાર ! તારી તે કેવી અનાત્મજ્ઞતા ! અમે “પ્રત્યેક ક્ષણે બુમ પાડી પાડીને તેને કહીએ છીએ તે તું શું સાંભળતા “નથી? અમે બીજા ઘણાએ પિતાનું અકલ્યાણ કરનારા પ્રાણુઓ જોયા છે, પણ તે સર્વમાં તે તો ખરેખર મૂશિરોમણિ જણાય છે! કારણ “કે તું પરમાત્મા ભગવાન્ વીતરાગનું વચન જાણે છે, જીવ અજીવ “આદિ જે પદાર્થો ભગવાને બતાવ્યા છે તે ઉપર શ્રદ્ધા રાખે છે, મારા “જેવા તને ઉત્સાહ આપનાર અને પ્રેરણું કરનાર છે. આવી સર્વ સા“મગ્રીઓ મળી આવવી અત્યંત મુકેલ છે એમ તું સમજે છે, સંસારને “છેડે આવો અત્યંત મુશ્કેલ છે એવી ભાવના તું ભાવ્યા કરે છે, કર્મનું કેવું ભયંકર પરિણામ આવે છે તે તારા ધ્યાનમાં છે, રાગ દ્વેષનું “કેવું ભયંકરપણું છે તે તું અનુભવે છે, છતાં પણ આ વિષયો જે સર્વ પ્રકારના અનર્થોને પ્રવર્તાવનારા છે- થોડાક દિવસ રહેનારા છે અને મુઠીભર ફોતરા જેવા સાર વગરના છે તેના ઉપર તું પ્રીતિ કરે છે, “તેના વડે રંજિત થાય છે અને તેમાં સુખ માને છે ! અમે તને મહા અનર્થના કુવામાં પડતો જોઈ તારી ઉપર દયા લાવી સર્વ કલેશ દોને “નાશ કરનારી સર્વ પાપથી વિરતિ (ત્યાગભાવ)ને ઉપદેશ આપીએ “છીએ તેના તરફ તું તિરસ્કારની નજરથી ભૂલ ભૂલમાં પણ નજર “નાખતો નથી ! અમારે તારા તરફ આટલે આદર શા માટે થયે છે તેનું કારણ તું જાણતો નથી તો તે તને હું કહી સંભળાવું છું તે બરાબર ધ્યાન દઈને સાંભળ. તું જ્ઞાન દર્શન યુક્ત હોવાને લીધે સર્વ૧ આત્માના હિતને નહિ સમજવાપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy