SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠગંધ ] ગુરુ મહારાજની વખતસરની પ્રેરણા. ૧૫૫ કે “ આવા આવા સારા વિચાર તે દરિદ્રી કરે છે તાપણુ પોતાની સાથે લાવેલા તુચ્છ ભેાજન ઉપર તેનું ચિત્ત લાગી રહેલું હતું તેથી તેના ઉપરની તેની મૂર્છા કોઇ પણ રીતે નાશ પામતી નથી અને પેતાની નજર વારંવાર તે ( પેલા તુચ્છ ભેાજન)ની ઉપર નાખ્યા કરે છે. આ પ્રમાણે તેને તુચ્છ ભાજન ઉપર નજર નાખતા જોઇ તેના મનનેા આશય સમજી જઇ ધર્મબેાધકર તેને કહેવા લાગ્યા કે અરે મૂર્ખ દ્રમક ! આ કન્યા તને અતિ સુંદર ભાજન આપે છે તે શું તું જોતા નથી ? આ દુનિયામાં પાપી ભિખારાએ ઘણા હેાય છે, પણ મને તે નિશ્ચય થાય છે કે ઘણે ભાગે તારા જેવા નિર્વાંગી તેા ખીજે કોઇ નહિ હાય, કારણ કે તને તારા તુચ્છ ભાજન ઉપર એટલું બધું લંપટપણું છે કે જેથી આ મારૂં ભાજન અમૃત જેવું છે અને તે તને આપી દેવામાં આવે છે છતાં તેને તું લેતા નથી. તને એક બીજી વાત કહું. આ રાજમહેલની બહાર તે અનેક દુઃખી માણસા રહે છે, પરંતુ તેમને આ મહેલ જોઇને આનંદ થયા નથી અને અમારા મહારાજાની તેના ઉપર મીઠી દૃષ્ટિ પડી નથી તેથી અમારે તે તરફ આદર હાતા નથી, અમે તેની વાત પણ પૂછતા નથી; તારે માટે તેા અહીં પ્રવેશ થયા પછી આ રાજભુવન જોઇને તારા મનમાં આહ્વાદ થયા અને અમારા રાજાની તારા ઉપર દૃષ્ટિ પડી તે કારણથી અમારા તારા પ્રત્યે આદર છે. પેાતાના સ્વામીને જે પ્રિય હાય તેનું હિત સ્વામિભક્ત સેવકાએ કરવું ોઇએ એ ન્યાયથી અમે તારા તરફ દયાળુ નજરથી જોઇએ છીએ. અમને અત્યાર સુધી ચેસ વિશ્વાસ હતેા કે અમારા રાજા યોગ્ય પ્રાણીને શોધીને તેના ઉપરજ પાતાની દૃષ્ટિ નાખે છે અને તેના લક્ષ્યમાં કોઇ મૂઢ આવતાજ નથી એવી અમને ખાતરી હતી તે વિશ્વાસ પણ આજે તું ખોટા પાડે છે. તારૂં તારા અત્યંત તુચ્છ ભેાજન ઉપર મન ચોંટ્યું છે તેથી તું આ અત્યંત સુંદર અમૃત જેવા સ્વાદવાળા પરમાન્નને લેતા નથી, પણ તેમાં તારી મેટી ભૂલ થાય છે. એ ભાજન સર્વ વ્યાધિનેા નારા કરે તેવું છે અને મધુર તેમજ સ્વાદિષ્ટ છે તેને તું શા માટે લેતે નથી? માટે દુર્બુદ્ધિ મક! તારી પાસેનું કુભાજન તજી દે અને આ સુંદર સ્વાદિષ્ટ ભેાજન જેના પ્રતાપથી આ રાજમદિરમાં રહેતા પ્રાણીએ લહેર કરે છે તેને સારી રીતે વિશેષ પ્રકારના આદર સહિત ગ્રહણ કર અને તે અન્નના માહામ્યથી થયેલા આ મંદિરમાં રહેતા પ્રાણીઓને આનંદવૈભવ જરા અવલાકન કરીને જો.’” ગુરુ મહારાજ પણ આ જીવના સંબંધમાં આવીજ રીતે આચરણ કરે છે તેની વિગત આપણે હવે તપાસી જઇએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy