SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ કારણ એ છે કે આ પ્રાણીને મિથ્યા શાસ્ત્રો સાંભળવાથી જે ખોટા સંસ્કાર પડેલા હોય છે તેને લઈને “મહા અંડ (ઇડા)માંથી આ ત્રણ ભુવનની ઉત્પત્તિ થઈ છે” એ અને એવા એવા જે કુતર્કો થયા કરે છે તેને સંસ્કારજા એટલે સંસ્કારથી થયેલા વિતર્ક કહેવામાં આવે છે અને ધન સ્ત્રી એજ પરમ અર્થે છે અને ખાસ મેળવવા યોગ્ય છે એવા વિચારથી તેનું સંરક્ષણ કરવાના વિચારે આ પ્રાણીને થાય છે તેને લઇને જેના ઉપર કદિ શંકા લાવવી ન જોઈએ એવા ગુરુ મહારાજ તરફ તે વહેમની નજરથી જુએ છે-આવા સહજ અભિપ્રાય અને કુતકો મિથ્યા દર્શનના ઉદયથી તેનામાં પ્રવર્તે છે તે મારવાડ દેશમાં જણાતા ઝાંઝવામાં દેખાતી જળકલ્લોલની માળા (જ) જેવા ખોટા હોય છે; આ બન્ને પ્રકારના-સંસ્કારથી થયેલા અને સહજ વિકો તેનાથી વિરૂદ્ધ હકીકત અને દલીલ મળવાને લીધે અને તે સંબંધમાં યથાયોગ્ય પ્રમાણે મળવાને લીધે જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે નાશ પામી જાય છે; પરંતુ ધન વિષય સ્ત્રી ઉપર મૂર્છા આવવારૂપ જે મેહ (આસક્તિ) પ્રાણીમાં હોય છે તે તો ઘણો જબરે છે અને તેનામાં એટલું બધું જોર હોય છે કે તન્વબુદ્ધિ થયા છતાં પણ જાણે દિશામહ થ હોય નહિ તેમ તે પ્રાણુ સાથે ચો રહે છે; એટલે કુવિકલ્પ નાશ પામે, વસ્તુસ્વરૂપ સમજવામાં આવે તોપણ મેહ જતો નથી. એ મોહને લઈને આ પ્રાણ ડાભને છેડે લાગેલા પાણીના બિંદુ જેવું સર્વ ચપળ છે એમ જાણતા છતાં પણ જાણે તે કાંઈ ન જ જાણતા હોય, ધનને નાશ સગા સંબંધી સેહીનાં મરણ દેખતાં છતાં પણ જાણે તે નજ દેખતો હોય એમ વર્તે છે, અત્યંત વિશાળ બુદ્ધિવાળે વિચક્ષણ હોવા છતાં જડ જેવું વર્તન કરે છે અને સર્વ શાસ્ત્રમાં પંડિત હોવા છતાં જાણે પિતે મૂર્ખને સરદાર હોય તેમ વર્તે છે. આવી સ્થિતિને પરિણામે એ ભાઇશ્રીને સ્વતંત્રપણું પસંદ આવે છે, વર્તનમાં પિતાની મરજી આવે તેવી ચેષ્ટા કરવી ગમે છે, કાંઈ વ્રત નિયમ લેતાં બીહે છે અને તેની એવી સ્થિતિ થઈ જાય છે કે વધારે તો શું પણ કાગડાનું માંસ ભક્ષણ કરવાની બાબતથી પણ નિવૃત્ત થઈ શકતો નથી, મતલબ કે એક સામાન્યમાં પણ સામાન્ય ત્યાગની બાબત પણ સ્વીકારી શકતો નથી. ભજન લેવાનો આગ્રહ, ત્યારપછી નિપુણ્યકના કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું છે - ૧ કાગડાનું માંસ ઘણું તુચ્છ ગણાય છે છતાં એનો ત્યાગ કરવાનો નિયમ આ પ્રાણી કરી શક્તો નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy