SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ]. તત્ત્વશ્રદ્ધા છતાં વિષયમૂચ્છ, ૧૫૩ પૂર્વે કથાપ્રસંગમાં ત્યારપછી કહેવામાં આવ્યું છે કે તે દરિ. દ્રીને પોતાની આંખમાં આંજન જનાર અને પિતુચ્છ ભોજન તાને પાણી પાનાર મહાત્મા પુરુષ ઉપર વિશ્વાસ પર મૂર્છા આવ્યું અને તે પોતાની ઉપર મોટો ઉપકાર કરે છે એમ તેને લાગ્યું તો પણ તેને પોતાના કુછ ભજન ઉપર જે તીવ્ર મૂચ્છ અત્યાર સુધી હતી તે ઓછી થઈ નહિદૂર થઈ નહિ–આ બાબતની આ જીવના સંબંધમાં આવી રીતે યો. જના કરવીઃજે કે જ્ઞાનાવરણીય કર્મને અને દર્શન મેહનીયન ક્ષોપશમ થવાને લીધે આ પ્રાણીને સમ્યજ્ઞાન અને સમ્યગત્યાગની દર્શન ઉત્પન્ન થાય છે અને તેને લઈને તેને સંસારના બી ક. પ્રપંચ ઉપર અત્યાર સુધી જે તત્ત્વબુદ્ધિ હતી એ ટલે આ સંસારને અને તેના પદાર્થોને તે અત્યાર સુધી પોતાના માનતો હતો તે બુદ્ધિ તેની નાશ પામે છે, આ દુનિયામાં જીવ અજીવ વિગેરે કેટલા પદાર્થો છે તેનું તેને જ્ઞાન થાય છે અને તેના ઉપર આસ્થા થાય છે, અને સમ્યગ જ્ઞાનદર્શનને આપનાર ગુરુ મહારાજ પોતાની ઉપર મોટો ઉપકાર કરનાર છે એમ તે કબૂલ કરે છે; તોપણ જ્યાં સુધી આ પ્રાણીને બાર કષાયો ઉદયમાં વર્તે છે અને નવ નકષાય જ્યાં સુધી પ્રબળપણે વર્તતા હોય છે ત્યાંસુધી અનાદિ અભ્યાસની વાસનાઓથી પરવશ થયેલ હોવાને લીધે ધન વિષય સ્ત્રી વિગેરે જે ખરાબ ભોજન સાથે સરખાવવા યોગ્ય છે તેના ઉપર થતી મૂછને અટકાવવાને તે શક્તિવાન્ થતો નથી. એનું ૧ આ પૃ. ૨૬ છેલ્લી બે પંક્તિ અને પૃ. ૨૭ ની શરૂઆતની હકીકત ભાવાર્થ છે. ૨ કષાય ચાર છે: કોધ, માન, માયા અને લોભ એની તરતમતા પ્રમાણે દરેકના ચાર ચાર વિભાગ પાડવામાં આવેલ છે. અતિ તીવ્ર કોધ માન માયા લોભને અનંતાનુબંધિ કહેવામાં આવે છે. ત્યારપછી ઓછા આછા ઘટતા હોય તેમને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કહેવામાં આવે છે. સમ્યગજ્ઞાન દર્શન થયા પહેલાં અનંતાનુબંધિ કષાયની ચેકડી નાશ પામે છે. પણ બાકીની ત્રણ ચેકડી એટલે બાર કષાય બાકી રહે છે. તે કષાયની અહીં વાત ચાલે છે. ૩ હાસ્ય, રતિ (આનંદ), અરતિ (પસંદ ન આવે તે), શોક, ભય, દુગછા (ચીઢ), સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આ નવ કષાયને ઉત્પન્ન કરનાર અને તેના સહચારી હોય છે તેમને નોકષાયના નામથી ઓળખવામાં આવે છે. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy