SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ પીઠબંધ] ધર્મ અને સમ્યગ્દર્શન. વખતે એ વાત ઉપર મેં કાંઇ ધ્યાન આપ્યું નહોતું, માટે કૃપા કરીને હવે એ સમ્યગ્ગદર્શનનું સ્વરૂપ શું છે તે મને કહી બતાવો.” આ પ્રમાણે હકીકત સાંભળીને ગુરુ મહારાજ પ્રથમ અવસ્થાને ઉચિત સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહી બતાવે છે. તેઓ સામાન્ય સમ્ય- કહે છે-“ભદ્ર! જે પરમાત્મા રાગ, દ્વેષ અને મેહ દર્શનસ્વરૂપ. “વિગેરેથી રહિત હોય, જે અનંત જ્ઞાન દર્શન વીર્ય આનંદસ્વરૂપ હોય, જે આખી દુનિયાના સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા તત્પર હોય, જે સકલ અને નિઃકલરૂપ “હોય એવા અનેક ગુણ યુક્ત પરમાત્મા છે તે જ ખરેખરા દેવ છે એવી “બુદ્ધિથી અંતઃકરણપૂવૅક તેઓની ભક્તિ કરવી (દેવતવ) અને તે રાગ શ્વેષ રહિત ભગવાને બતાવેલા જીવ, અજીવ (જડ), પુણ્ય (સુખને અનુભવ), પાપ (દુ:ખનો અનુભવ), આશ્રવ (કર્મ ગ્રહણ કરવાના માગે), સંવર (કર્મને રોકવાનાં દ્વારે), નિર્જરા (કર્મને ખેરવી નાખવાં), બંધ (કર્મ અને આત્માનું જોડાણ) અને મેક્ષ (સર્વ કર્મથી આત્માને મુક્ત કરવો) એ નવ પદાર્થોને બરાબર સમજવા, કબૂલ કરવા અને તેમાં વિશ્વાસ રાખવો (ધર્મત) અને તે પરમાત્માએ બતાવેલા “જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જે પ્રવૃત્તિ કરે તે જ ખરા સાધુઓ અને તેજ ગુરુ થવાને અને વંદન કરવાને યોગ્ય છે એવી બુદ્ધિ થવી “( ગુરુતત્ત્વ) એનું નામ સમ્યગ્દર્શન કહેવાય છે. પ્રાણીમાં આ સમ્યગદર્શન છે કે નહિ તે જાણવા માટે પાંચ લક્ષણ અથવા બાહ્ય “ચિ બતાવવામાં આવ્યાં છે જેને સમકિતનાં પાંચ લિંગ કહેવામાં “આવે છે તે આ પ્રમાણે ૧ પ્રશમ એટલે શાંતિ-ક્રોધનો ત્યાગ ૨ સંવેગ “એટલે મેક્ષ મેળવવા યોગ્ય છે એવા નિર્ણયપૂર્વક તેને પ્રાપ્ત કરવાની અંતઃકરણની અભિલાષા; ૩ નિવૈદ એટલે સાંસારિક સર્વ પદાર્થો ઉપર ખેદ-તે તરફ અરૂચિ, ૪ આસ્તિક્ય એટલે ઉપર જણાવેલા શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મતત્ત્વ ઉપર શ્રદ્ધા અને ૫ અનુકંપા એટલે દીન “દુઃખી પ્રાણુ ઉપર દયા. આવા સમ્યગ્દર્શનને અંગીકાર કરીને પ્રાણું સાત્વિક ગુણેથી પણ અધિક વિનય ગુણવડે યુક્ત થઈને સર્વ પ્રાણુઓ ૧ શરૂઆતમાં બહુ ઊંડી હકીકત બતાવવા જતાં પ્રાણી રહય સમજી શકે નહિ તેથી તે વખતે સામાન્ય સ્વરૂપ બતાવવાની યોગ્ય પદ્ધતિ ગુરુ મહારાજ અત્ર સ્વીકારે છે. ૨ સકલ એટલે સંપૂર્ણ એટલે પૂર્ણતાને પ્રાપ્ત થાય છે અને નિષ્કલ એટલે વિભાગ વગરના “સંપૂર્ણ અંશે એકરૂપ ” એ બન્નેને અર્થ સાથે થાય છે. સિદ્ધદશામાં દરેક આત્માનું વ્યક્તિત્વ રહે છે એવો ભાવ અત્ર બતાવવાનો આશય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy