SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ચોખા વરસે છે-અહીં વરસાદ તો પાણી જ વરસાવે છે, પણ તે પાણુના પડવાથી કાર્યરૂપે ભાતનો પાક નીપજશે, તે કારણમાં કાર્યને આરેપ કરીને વરસાદ ચખા વરસે છે એમ કહેવામાં આવે છે–તે પ્રમાણે સુંદર અનુષ્ઠાન એ ધર્મનું કારણ છે તેને ધર્મ કહેવામાં આવે છે. “ધર્મને સાશ્રવ સ્વભાવ ઉપર કહેવામાં આવ્યું તે પુણ્યાનુબંધિ પુણ્યરૂપ સમજવો. જે સ્વભાવ ઉદયમાં આવતાં વિપાકકાળે વિશેષ નવીન પુણ્યને બંધ કરાવે તેને પુણ્યાનુબંધિ પુણ્ય કહેવામાં આવે છે, અને જે સ્વભાવ વિપાકકાળે આગળનાં બાંધેલાં શુભ કે અશુભ “કને નાશ કરે છે તેને અનાશ્રવ સ્વભાવ કહેવામાં આવે છે. જેના પરિભાષામાં આ અનાશ્રવ કર્મસ્વભાવને નિર્જરા કહેવામાં આવે છે. “નિર્જરાનો સામાન્ય અર્થે આત્મપ્રદેશથી કર્મોનું ખરી જવું એવો થાય છે. આ સાશ્રવ અને અનાશ્રવ બન્ને પ્રકારના સ્વભાવને કઈ પણ પ્રકારના ઉપચાર વગર સાક્ષાત્ ધર્મ નામથી ઓળખવામાં આવે છે. પ્રાણીઓમાં આરોગ્ય, સૌભાગ્ય, યશ, કીર્તિ, ધનપ્રાપ્તિ વિગેરેને અંગે જે મોટા તફાવતો દેખાય છે તે કાર્યમાં કારણને આરોપ કરીને લોકે તેને પણ ધર્મ નામથી ઓળખે છે એટલે કે એવા જે તફાવતો દેખાય છે “એટલે કેઈને ધનવાનું અને કોઈને ગરીબ, કેઈને કીર્તિમાનું અને કેાઈને કીર્તિ વગરના વિગેરે વિગેરે અનેક પ્રકારના તફાવત જોવામાં આવે છે તે ધર્મનું કાર્ય-પરિણામ છે, છતાં તે કાર્યમાં કારણને આરેપ કરી તેને પણ લેકે ધમેના નામથી ઓળખે છે. દાખલા તરીકે આપણે લેકને એમ બોલતાં સાંભળીએ છીએ “આ મારું શરીર પૂર્વ કર્મ છે.” અહીં શરીરરૂપ કાર્યનું કારણ પૂર્વકૃત કર્મ છે, છતાં શરીરરૂપ કાર્યમાં “કારણનો આરોપ કરી તેને જ ધર્મ કહેવામાં આવે છે.” એ વાત સાંસદનુષ્ઠાન આ ભળીને આ પ્રાણું બોલે છે-“ભગવદ્ ! આપે ધદરવા યોગ્ય. મેનાં કારણ, સ્વભાવ અને કાર્યો એ ત્રણ વસ્તુઓ " બતાવી તે ત્રણમાં પ્રાણી એ આદરવા ગ્ય શું છે??? ધર્મગુરુ “એ ત્રણમાં સદનુષ્ઠાનરૂપ કારણ જે પ્રથમ કહેવામાં “આવ્યું હતું તે ખાસ આદરવા ગ્ય છે, કારણ કે તે બાકીના બન્નેને “એટલે ધર્મના સ્વભાવને અને કાર્યને મેળવી આપનાર છે.” પ્રાણી “એ સદનુષ્ઠાન કયાં કયાં છે?” ધર્મગુરુ –“સદનુષ્ઠાનના મુખ્ય બે પ્રકાર છે: સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ. આ બન્ને પ્રકારનાં ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે.” પ્રાણી–“આપ સાહેબે પ્રથમ મને એક વખત સમ્યગ્દર્શન સંબંધી કાંઇક ઉપદેશ કર્યો હતો એવું મને યાદ આવે છે, પરંતુ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy