SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] ધર્મ પુરુષાર્થ સંબંધી વિવેચન. ૧૪૫ માટે ધર્મથી કોઈ વધારે માટે પુરુષાર્થ નથી. આ પ્રમાણે હોવાથી તેઓ કહે છેઃ ધર્મા પુરુષાર્થ, પ્રધાન રુત્તિ જત્તા पापग्रस्तं पशोस्तुल्यं, धिग् धर्मरहितं नरम् ॥ ધર્મ નામનો આ પુરુષાર્થ છે તે સર્વથી મુખ્ય છે એમ જણાય છે. એવા પાપમાં પચી રહેલ અને ધર્મ વગરના તેમજ જનાવરની જેવા જીવતરવાળાને ધિક્કાર છે.” ગુરુ મહારાજની આવી ધર્મદેશના સાંભળી પેલો પ્રાણી કહે છે “મહારાજ ! અર્થ અને કામ તો સાક્ષાત્ જેધર્મનાં કારણ, વામાં આવે છે અને આપ સાહેબે હમણું ધર્મનું સ્વભાવ, કાર્ય. વર્ણન કરી બતાવ્યું તે તો અમે કઈ જગાએ હજુ સુધી જોયો નથી, તેથી આપ સાહેબ તેનું સ્વરૂપ અમને બતાવો.” આ પ્રશ્નના જવાબમાં ધર્માચાર્ય કહે છે “ભદ્ર! “જે પ્રાણીઓ મેહથી અંધ થઈ ગયા હોય છે તેઓ ધર્મને જોઈ શકતા “નથી, પરંતુ જે પ્રાણીઓમાં વિવેક હોય છે તેઓની નજરમાં ધર્મ “પ્રત્યક્ષ દેખાય છે. સામાન્ય રીતે ધર્મનાં ત્રણ સ્વરૂપ આપણે વિચારી જઈએ. કારણ, સ્વભાવ અને કાર્ય, તેમાં સારાં સારાં અનુષ્ઠાનો કરવાં તે ધર્મનું કારણ છે એ તો સર્વના જોવામાં આવે છે. દાખલા તરીકે “સામાયિક, પૌષધ, દેવપૂજા, ગુવંદના વિગેરે. ધર્મનો સ્વભાવ બે “પ્રકારનો છેઃ સાશ્રવ અને અનાશ્રય. સાશ્રવ સ્વભાવ પ્રાણીમાં શુભ “પરમાણુઓના સંગ્રહરૂપ છે અને અનાશ્રવ સ્વભાવ તે પૂર્વે એકઠાં “કરેલાં કર્મપરમાણુઓના નાશરૂપ છે. (આશ્રવ દ્વારા સર્વ કર્મો આવે છે અને અનાશ્રવ અથવા સંવર દ્વારા તે આવતાં અટકે છે અને “નિર્જરા દ્વારા તેનો નાશ થાય છે. અનાશ્રવમાં સંવરનો અને નિર્જરાનો સમાવેશ થાય છે.) આ બન્ને પ્રકારના ધર્મનો સ્વભાવ યોગીઓ “તે બરાબર (પ્રત્યક્ષ) જોઈ શકે છે અને અમારા જેવા અનુમાનથી જોઈ શકે છે. ધર્મનું કાર્ય તો પ્રત્યેક જીવમાં જે તફાવત છે તે સ્પષ્ટ “રીતે દેખાઈ આવતા હોવાથી સર્વને ઉઘાડી રીતે દેખાય છે. આ પ્ર“માણે ધર્મનાં કારણ, સ્વભાવ અને કાર્ય એ ત્રણે તું દેખે છે છતાં તે ધર્મ જોયો જ નથી એમ શા માટે બેલે છે? આ ધર્મનાં કારણ, સ્વ“ભાવ અને કાર્ય એ ત્રણે બતાવ્યાં તેમાંથી ધર્મનાં કારણ છે તેને ધર્મ શબ્દથી લેકે ઓળખે છે. તેમાં જાણવા જેવું એ છે કે સુંદર અનુછાનરૂપ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી તેને પણ કઈ વખત ધર્મ “કહેવામાં આવે છે. જેમકે આપણે એમ બેલીએ છીએ કે વરસાદ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy