SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] ધર્મ પુરુષાર્થ-સાધ્ય. ૧૪૧ આ પ્રમાણે વાતચીત થયા પછી ગુરુ મહારાજે વ્યાખ્યાન આગળ ચલાવ્યું “વળી કેટલાક પ્રાણીઓ ધર્મને જ પ્રધાન ધર્મ પુરુષાર્થ “પુરુષાર્થ માને છે. સર્વ પ્રાણુઓનું જીવિતવ્ય સરખું નું સ્પષ્ટ વર્ણન. “હેવા છતાં કેટલાક પ્રાણીઓ એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં ઘણી પેઢી સુધી પરંપરાગત દ્રવ્ય ચાલ્યુંજ આવતું હોય છે, જે કુળ મનને અનેક પ્રકારના આનંદ ઉપ“જાવવાનાં સ્થાન હોય છે અને જે કુળનું આખો સંસાર સારી રીતે “માન જાળવે છે. વળી કેટલાક એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં “ધનની ગંધને પણ સંબંધ થતું ન હોય, આખી દુનિયાનાં સર્વ દુઃખ “જ્યાં આવીને વસી રહેલાં હોય અને જે કુળની સર્વ પ્રાણુઓ નિંદાજ “કર્યા કરતા હોય–આવો તફાવત શા માટે પડતે હશે? તથા એક માબાપથી જુદે જુદે વખતે જન્મ પામેલા ભાઈઓ અથવા જોડલાના “(સાથે જન્મેલા) ભાઈઓમાં મોટો તફાવત જોવામાં આવે છે તે “એવી રીતે કે તેમાંનો એક રૂપમાં કામદેવ જેવો હોય છે, શાંતિમાં “મુનિ મહારાજ જેવો હોય છે, બુદ્ધિને વૈભવમાં અભયકુમાર જે થાય છે, ગંભીરતામાં ક્ષીર સમુદ્ર જેવો થાય છે, સ્થિરપણમાં મેરૂ પર્વતના શિખર જેવો થાય છે, શૂરવીરપણુમાં ધનંજયે જેવો થાય છે, “ધનની બાબતમાં કુબેર ભંડારી જેવો થાય છે, દાન દેવામાં કર્ણ જેવો થાય છે, નીરોગીપણુમાં વજ જેવા સખ્ત શરીરવાળે થાય છે, દરરેજ પ્રસન્ન રહેવાની બાબતમાં મોટી ઋદ્ધિવાળા દેવતાઓ જેવો થાય છે; આવી રીતે સર્વ ગુણ અને કળાના સમૂહથી અલંકૃત થયેલ તે “ભાઈ સર્વ પ્રાણીઓનાં મનને આનંદનું કારણે થાય છે અને આંખોને “ઠંડક આપનાર થાય છે ત્યારે તેજ માબાપને બીજો પુત્ર પિતાના “ભયંકર દર્શનથી સર્વ લેકેને ઉદ્વેગ પમાડે છે, પોતાનું ચિત્ત અત્યંત “દુષ્ટ હોવાથી પોતાનાં માતા પિતાને પણ સંતાપ આપે છે, મૂર્ખશિરેમણિ હોવામાં આખી પૃથ્વીને જીતી લે છે, તુછપણુએ કરીને આકડાના તેમજ શાલ્મલી વૃક્ષના રૂથી પણ વધારે હલકે હોય છે, ૧ કામદેવનું રૂપ સર્વથી સુંદર ગણાય છે. ૨ અભયકુમાર–શ્રેણિક રાજાનો પુત્ર બુદ્ધિમાં બહુ શ્રેષ્ઠ ગણાય છે. તેને ઉત્પાતિકી બુદ્ધિ હતી તેને માટે જુઓ, અભયકુમાર ચરિત્ર. ૩ અર્જુન. પાંચ પાંડવોમાંથી એક ૪ એટલે તેના જેવો આખી પૃથ્વીમાં કોઈ મૂર્ણ હોતો નથી. ૫ આકાડાના રૂને અકેલીયું કહેવામાં આવે છે. ૬ સીમળાનું ઝાડ. તેના રેસા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy