SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ઉપમિતિ ભવપ્રપંચ ક્યા. [ પ્રસ્તાવ ૧ મહારાજે પોતાના સામર્થ્યથી તે નિપુણ્યકનું મોઢું ઉઘાડ્યું હતું તેની બરાબર આ હકીકત સમજવી. જ્યારે પેલે પ્રાણી ઉપર કહ્યું તે પ્રમાણે બોલતા હોય છે ત્યારે ગુરુ મહારાજના મનમાં એવો વિચાર થાય છે કે “અહો મોહરાયની અસરઃ મહામહની ચેષ્ટા તો જુઓ ! એ મહામહની અસર ગુરુનું પર્યાલચન. તળે આવી રહેલા પ્રાણુઓ પ્રસંગોપાત્ત કહેલી અર્થ અને કામની કથાથી રીઝ પામે છે અને ખાસ યત કરી કહેલી ધર્મની કથા સાંભળીને જરા પણ રીઝ પામતા નથી. અર્થે અને કામમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા ક્ષુદ્ર પ્રાણુઓનાં મનમાં કેવા અભિપ્રા વર્તતા હોય છે તેનું અમે અત્રે વર્ણન કરી બતાવ્યું ત્યારે આ બાપડો તો તેમાં જ સુંદરપણાની સ્થાપના કરીને બેસી ગયો છે ! આટલું કરવાથી તે અમે જે કહીએ તે સાંભળવા તત્પર થયો છે તેથી એ રીતે પણ અમે જે પરિશ્રમ કયાં અને જે જેહમત ઉપાડી તે એક રીતે સફળ થઈ છે. આ પ્રાણીને બોધ પ્રાપ્ત કરવાના ઉપાયે કરવા માટે મેં જે બીજ વાવવાની વિચારણું કરી રાખી હતી તે બીજને આજે કાંઈક અંકુર ફુટ્યા છે. આને લઇને હવે એ પ્રાણી રસ્તા ઉપર આવી જશે.” આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરી ગુરુ મહારાજ તેને જવાબ આપતાં બોલ્યા કે “રે ભદ્ર! અમે તે વસ્તુ જેવી હોય તેવા પ્રકારની કહી બતાવીએ છીએ, અમને ખોટું બોલતાં આવડતું નથી.” ગુરુ મહારાજનાં આવાં વચન સાંભળીને તે પ્રાણીને ગુરુ ઉપર વધારે વિશ્વાસ ઉત્પન્ન થયો તેથી તે ફરી વાર બોલ્યો “હે ભગવન્ ! આપ કહો છે તેમજ સર્વ હકીકત છે, એમાં કઈ પ્રકારને શક નથી.” ત્યારે ગુરુ મહારાજ કહે છે “ભદ્ર! જે એમ છે તે કહે, અર્થ અને કામનું માહામ્ય મેં હમણું કહી સંભળાવ્યું તે તારી સમજણમાં આવી ગયું ?” પેલે પ્રાણ જવાબ આપે છે કે “હા, મહારાજ ! બહુ સારી રીતે મારા ધ્યાનમાં અર્થ અને કામની સર્વ હકીકત આવી ગઈ.” ગુરુ મહારાજે કહ્યું “ભાઈ ! અમે ચાર પુરુષાર્થોનું માહાત્મ્ય કહેવાનો આરંભ કર્યો હતો, તેમાંથી અર્થ અને કામ એ બે પુરુષાર્થ સંબંધી હકીકત કહી સંભળાવી. હવે અમે ત્રીજા પુરુષાર્થની વાત કરીએ છીએ તે પણ તારે બરાબર ચિત્ત લગાડીને સાંભળવી” પેલે પ્રાણું જવાબમાં કહે છે “મહારાજ ! મારું બરાબર ધ્યાન છે, આપ વાત આગળ ચલાવો.” ૧ પ્રો. જેકેબી (બેંગાલ રે. એ. સો)વાળા મૂળ ગ્રંથનું પૃ ૧૦૧ અહીંથી શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy