SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] કામ પુરુષાર્થ-આક્ષેપ. ૧૩૯ કરવામાં ન આવે ત્યાં સુધી પુરુષમાં વાસ્તવિક રીતે પુરુષપણું ઘટતું “નથી; કારણ કે પૈસાના સંગ્રહનું, કળામાં કુશળતા પ્રાપ્ત કરવાનું, ધર્મ “પ્રાપ્ત કરવાનું કે આ મનુષ્યજન્મ પામવાનું વાસ્તવિક ફળ તે “કામ”જ છે અને એ સર્વે સુંદર સામગ્રી પ્રાપ્ત થઈ હોય પણ કામનાં સાધન તરીકે તેનો ઉપયોગ ન થાય તે તે સર્વ નકામું છે. જે પ્રા“ણીઓ કામોગની સેવાના કરવામાં તત્પર હોઈ તેને ભેગી હોય છે તેઓને ભેગનાં સાધનભૂત ધન, સ્ત્રી, સુવર્ણ વિગેરે પિતાની મેળે આવીને મળે છે. સંપત્તિ મોનીનાં મોજાઃ (એટલે ભેગીને ભોગ મળી રહે છે) એ વાત બાળ ગોપાળ અને સ્ત્રીઓ પણ જાણે છે. કહ્યું છે કે स्मितं न लक्षेण वचो न कोटिभिने कोटिलः सविलासमीक्षितम् । अवाप्यतेऽन्यैरयोपगृहनं, न कोटिकोट्यापि तदस्ति कामीनाम् ॥ * બીજા પુરુષોને લાખ સોનામહોર ખરચવાથી પણ જે મંદ હાસ્ય પ્રાપ્ત થતું નથી, કોડ સોનામહોર ખરચવાથી પણ જે વચન “સાંભળવાનું બની શકતું નથી, લાખ કરોડ સોનામહેર ખરચવાથી પણ “તેની સામે જે કટાક્ષ ફેંકાતું નથી અને કરેડ કરેડ સોનામહોર ખરચ“વાથી પણ નિષ્ફરતાપૂર્વક જે આલિંગન પ્રાપ્ત થતું નથી તે સર્વ કામી “પુરુષોને સહજ પ્રાપ્ત થાય છે. ત્યારે કામ પુરુષને તે કઈ વાતની કમીના છે? તેટલા માટે કામજ પ્રધાન પુરુષાર્થ છે. આથી લેકમાં “કહેવાય છે કેઃ कामाख्यः पुरुषार्थोऽयं, प्राधान्येनैव गीयते । नीरसं काष्ठकल्पं हि, धिक्कामविकलं नरम् ॥ “ “ આ કામ નામનો પુરુષાર્થ જ દુનિયામાં પ્રધાનપણે ગવાય છે, તેથી રસ વગરના અને લાકડા જેવા કામરહિત પુરુષને ધિક્કાર છે. ” આ કામ પુરુષાર્થની વાત સાંભળીને આ પ્રાણીને હર્ષ તેના હૃદયમાં ન સમાઈ શકવાથી અંદર ઉછળવા લાગે છે, તેથી તે પ્રકટપણે બલવા લાગે છે કે “અહો ! મહારાજ સાહેબે બહુ સારી વાત કરી! ઘણું વખત પછી મહારાજશ્રીએ આજે બહુ સારું વ્યાખ્યાન કરવા માંડ્યું છે, આવું વ્યાખ્યાન આપ સાહેબ દરરેજ આપ્યા કરશો તો જો કે અમારે સંસારનાં કામમાંથી પાણું પીવાની પણ ફુરસદ નથી તેપણું ગમે તેમ કરી વખત કાઢી બરાબર ધ્યાન રાખી આપ સાહેબનું વ્યાખ્યાન સાંભળવા માટે આવવાનો નિર્ણય કરશું.” ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy