SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ ૧ તેનામાં વિશિષ્ટ શ્રદ્ધા હોતી નથી અને ધન વિષય સ્ત્રીને તે પરમાર્થબુદ્ધિથી ગ્રહણ કરતા હોય છે અને તેનામાં અત્યંત આસક્ત બુદ્ધિ રાખતા હોય છે; વળી તેના ઉપરની પિતાની અત્યંત મૂચ્છ (વિચાર વગરના પ્રેમીને લીધે મહાત્મા સાધુઓ પણ તેને જ શોધતા હશે એવી આશંકા મનમાં તે રાખતો હોય છે અને તેથી કરીને ધર્મની કથા વાર્તા ચર્ચા ચાલતી હોય તેને ઈરાદાપૂર્વક ત્યાગ કરતો હોય છેઆવી સ્થિતિમાં આચાર્ય મહારાજ આ જીવને મળે છે. તે વખતે ગુરુ મહારાજ પોતે અત્યંત દયાળુ હોવાથી આ પ્રાણીને વધારે ગુણેનું ભાજન કરવા તેમને વિચાર થાય છે. આવા સંયોગોમાં જ્યારે કઈ વખત તે ગુરુ મહારાજ પાસે આવી ચઢે છે ત્યારે તેના સાંભળતાં બીજા પ્રાણીને ઉદ્દેશીને સમ્યગદર્શનમાં કેટલા ગુણે છે તેનું ગુરુ વર્ણન કરે છે, સાથે જણાવે છે કે એને પ્રાપ્ત કરવું તે બહુ મુશ્કેલ છે અને કહે છે કે જે પ્રાણીઓ એને (સમગદર્શનને) આદરે છે તે સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વળી વિશેષમાં જણાવે છે કે પરલેકમાં ઉપર જણાવ્યું તેવું સુંદર ફળ થવા ઉપરાંત આ ભવમાં પણ તેનાથી મનની અપૂર્વ શાંતિ થાય છે. આ પ્રાણીને ચેતના આવ્યા પછી ગુરુ મહારાજ તેને પાણીને ઉપયોગ કરવાનું આમંત્રણ કરે છે તેની બરાબર આ હકીકત સમજવી. ગુરુ મહારાજનાં આવાં વચન સાંભળીને આ પ્રાણુનું મન વધારે હીંડોળે ચઢે છે અને તેથી તે વિચાર કરે છે કે “આ ઉપદેશકને સાધુ મહારાજ સમ્યગદર્શનનાં બહુ વખાણ કરે છે, અનાદર. પણ જેવું હું તે સમ્યગદર્શન અંગીકાર કરીશ કે તેઓ જાણું જશે કે હું તેઓને વશ પડેલો છું અને પિતાને કબજે થયેલે મને જાણી જરૂર તેઓ મારી પાસે પૈસાની, અન્નની અને બીજી ભારી વસ્તુઓની માગણી કરશે. ત્યારે મારે તે આવી આત્મવંચના (છેતરપીંડી)નું શું કામ છે? આમાં તેઓનો ઊંડે આશય શું છે અને મારી પાસે તેઓ શેનો શેને કેટલો ત્યાગ કરાવશે તેની પણ કાંઈ ખબર પડતી નથી.” આવો વિચાર કરીને ગુરુ મહારાજ બોલ્યા તે સાંભળ્યું ન સાંભળ્યું કરીને તેમણે કહેલી વાતમાંથી કાંઈ પણ અંગીકાર કરતા નથી. આ નિપુણ્યકના સંબંધમાં તેને પાણી પીવાની નિમંત્રણ કર્યા છતાં પણ તે પીવાની તેને ઈચ્છા થતી નથી તેની બરાબર સમજવું. આ પ્રમાણે હકીકત જોઈને ગુરુ મહારાજ આ પ્રાણુને બંધ કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy