SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પીઢબંધ ] પરિચય, અવજ્ઞા અને સ્થીરીકરણ પ્રયાસ. ૧૩૫ વિશાળ હૃદયવાળા નિઃસ્પૃહી મુનિ મહાત્માઓને પેાતાના અધમ મનને અનુસારે પેાતાની જેવા ધારે છે અને તેઓની પાસે વધારે વખત રહેવાથી મારી પાસે તેઓ કોઇ વસ્તુ માગશે એવી વારંવાર શંકા લાવ્યા કરે છે. આવા હેતુથી એવા મહાત્મા પુરુષોને વધારે પરિચય કરતા નથી અને તેની પાસે વધારે વખત આ પ્રાણી રોકાતા પણ નથી. જળને અદ્દભુત પ્રભાવ. વળી પૂર્વે કહેવામાં આવ્યું છે કે “મકને અંજન આંજવાથી કાંઇક ચેતના પ્રાપ્ત થઇ છે એમ જોઇને ધર્મબેાધકર મંત્રી હવે મીઠાં વચનેાથી તેની સાથે વાત કરવા લાગ્યા. તેણે વાત શરૂ કરતાં કહ્યું ભાઇ ! તારાં સર્વ તાાને શમાવી દેનાર આ પાણી જરા પી. આ પાણી પીવાથી તારા આખા શરીરમાં સમ્યગ પ્રકારની સ્વસ્થતા થઇ જશે.' ધર્મબાધકર મંત્રી તેને આ પ્રમાણે પ્રેરણા કરે છે ત્યારે પેલા ભિખારી પેાતાના મનમાં શંકા હોવાથી વિચાર કરે છે કે એ પાણી પીવાથી શું થશે તેની કાંઇ ખબર પડતી નથી-એવા એવા વિચાર કરીને તે પાણી પીવાની ઇચ્છા કરતા નથી. ધર્મબેાધકર મંત્રીશ્વરે આવી તેની સ્થિતિ જોઇ ત્યારે તેને તેની ઉપર વધારે દયા આવી અને દયાને લઇને તે ભિક્ષુકનું એકાંત હિત કરવાની બુદ્ધિથી તેની મરજી નહાતી તાપણ તેનું માટું વ્હેરથી ઉઘાડીને તેમાં પાણી રેડી દીધું. તે પાણી (જળ) તદ્દન ઠંડું હતું, અમૃતના જેવું સ્વાદિષ્ટ હતું, ચિત્તને આહ્લાદ ઉત્પન્ન કરે તેવું હતું અને સર્વ સંતાપ દૂર કરે તેવું હતું. તેને પીવાથી તે તદ્દન સ્વસ્થ જેવા થઇ ગયા, તેને જે ઉન્માદ હતા તે લગભગ નહિ જેવા થઇ ગયા, તેના વ્યાધિએ નરમ પડી ગયા અને તેના શરીરમાં દાહની પીડા થતી હતી તે સર્વ શમી ગઇ તેમજ તેની સર્વ ઇંદ્રિયા પ્રસન્ન થઇ. આવી રીતે તેના અંતરાત્મા સ્વસ્થ થવાથી કાંઇક વિમળ ચેતનાવાળેા થઈને તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા.” આ પ્રાણીના સંબંધમાં સર્વ એજ પ્રમાણે ઘણું ખરું અને છે. તેની યોજના આ પ્રમાણે સમજવી. કોઇ વખતે જરા વખત મેળવીને આ ભાઇસાહેબ સાધુ મહાહારાજને ઉપાશ્રયે આવે છે તે વખતે સાધુ મહારાજના સંબંધથી તેને ઉપર ઉપરનું કેટલુંક જ્ઞાન ( દ્રવ્યશ્રુત ) થાય છે અને તેવા દ્રવ્યશ્રુતને લઇને કાંઇક સહજ વિવેકબુદ્ધિ પણ પ્રગટ થાય છે, તે પણ સમ્યગ્દર્શનપ્રાસિની મુશ્કેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy