SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ ઉપાશ્રયે જવા લાગ્યા. દરરોજ સાધુ મહારાજના સંબંધમાં આવવાથી, તેમનાં સ્વાભાવિક શુભ અનુષ્ઠાને દેખવાથી, તેના નિઃસ્પૃહતા વિગેરે ગુણા તેના જોવામાં આવવાથી અને તેનાં પાપપરમાણુઓનેા નાશ થતા જતા હેાવાથી તેને જે વિવેકકળાની પ્રાપ્તિ થઇ તે તેની નાશ પામેલી ચેતના તેને ફરીવાર પ્રાપ્ત થઇ એમ પૂર્વે કહ્યું છે તેની ખરાખર સમજવું; વારંવાર તેને ધર્મ પદાર્થને જાણવાની ઇચ્છા થયા કરે છે તે આંખા ઉઘાડવા મીંચવાના બનાવ તુલ્ય સમજવું; અને દરેક ક્ષણે તેની અજ્ઞતાના નાશ થતે જતા હતા તે તેની આંખની પીડાના ઉપશમરૂપ સમજવું. એટલે જેમ તેના આંખના રોગો ઓછા થતા હતા તેમ તેની અજ્ઞતા દૂર થતી હતી. આવી રીતે બેધ થવાથી મનમાં જે જરા જરા સંતાષ થતા હતા તે તેને વિસ્મયઆશ્ચર્ય થવા તુલ્ય સમજવું. ત્યારપછી આગળ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે “આટલા લાભ જણાયા છતાં પણ પેાતાના ભિખના ડીકરાને જાળવી રાખવાને તેને વિચારપૂર્વકાળના લાંબા અભ્યાસને લઇને હજી જતેા નથી, હજી તેને સંરક્ષણ કરવાના વિચાર વારંવાર થયા કરે છે. આ એકાંત સ્થાન છે તેથી પેાતાનું ભિક્ષાપાત્ર કોઇ ઉપાડી જશે એવા હજુ પણ વારંવાર તેને વિચાર આવ્યા કરે છે અને નાસી જવા સારૂ લાગ શોધવા માટે ચારે તરફ તે નજર નાખ્યા કરે છે.” આ પ્રાણીના સંબંધમાં પણ તેવીજ હકીકત અને છે તે આ પ્રમાણે સમજવી: જ્યાંસુધી આ પ્રાણીપ્રશમ, સંવેગ, નિવૈદ, આસ્તિક્ય અને અનુકંપાના લક્ષણથી યુક્ત અધિગમ સમકિત પ્રાપ્ત કરતા નથી ત્યાંસુધી સામાન્ય ઉપર ઉપરના બાધ થયા છતાં પ્રાણીમાં વિવેકની અલ્પતા હાવાને લીધે તેને ધન વિષય સ્રી વિગેરેમાં પરમાર્થબુદ્ધિ ઓછી થતી નથી એટલે ધન વિષય સ્ત્રી જે વસ્તુતઃ ખરાબ ભાજન જેવાં છે તે પેાતાનું મહુ સારૂં કરનારાં છે એમ જે પ્રાણીમાં બુદ્ધિ હાય છે તે વિવેક વગર દૂર થતી નથી. આવી તુચ્છ વિચારણાવાળા પ્રાણી અતિ ઠીકરા ઉપરને પ્રેમ. ૧ બનાવટ વગરનાં, સાચા અંતરનાં, કૃત્રિમ નહિ. ૨ સમકિતનાં આ પાંચ લિંગ છે. પ્રશમ=શાંતિ. સંવેગવૈરાગ્ય. નિર્વેદ=સંસાર પર કંટાળે. આસ્તિકચ-આસ્થા અને અનુકંપા=યા. ૩ અન્યના ઉપદેશથી સમ્યક્ત્વદર્શન થાય તેને અધિગમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy